ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા માટે દેશની વડી અદાલતે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હાથ ધરેલ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, કેટલીક શરતો સાથે જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજી શકાશે. તો કોર્ટે મંદિર ટ્રસ્ટ તથા સરકારને આ મામલે માઈક્રો મેનેજમેન્ટ કરવાનું પણ સૂચન આપ્યું છે.
જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા અંગે સુપ્રીમની શરતી મંજૂરી
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કરી દલીલ
જો ચાલુ વર્ષે ના યોજાય તો પછી 12 વર્ષ સુધી ન યોજાઇ શકે રથયાત્રા
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, સદીઓથી ચાલી આવી રહેલી પરંપરાને અટકાવી શકાય નહીં. તો ઓડિશા સરકારે કહ્યું હતું કે, જન ભાગીદારી વગર પણ પણ રથયાત્રા યોજી શકાય છે. કેન્દ્રએ આ મામલે કહ્યું કે, સ્થિતિને જોતા પગલા લેવાઇ શકે છે. રાજ્ય સરકાર રથયાત્રા દરમિયાન કરફ્યુ લાદે જેથી લોકો રસ્તા પર ન ઉતરી આવે.
કોરોડો લોકોની આસ્થાનો સવાલ
સોલિસીટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, આ કોરોડો લોકોની આસ્થાનો સવાલ છે. જો ભગવાન જગન્નાથ કાલે નહીં જાય તો તે પરંપરા અનુસાર 12 વર્ષ સુધી નહીં નીકળી શકે છે. જગતગુરૂ આદિ શંકરાચાર્ય દ્વારા નક્કી કરાયેલ અનુષ્ઠાનોમાં પણ તમામ સેવાભાવીઓ ભાગ લઇ શકે છે જેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને લોકો ટીવી પર લાઇવ ટેલીકાસ્ટ જોઇ શકે છે.
Supreme Court has allowed Rath Yatra to be conducted in Puri, Odisha with certain restrictions. https://t.co/MhteNWUapm
સરકાર સાવચેતી સાથે રથયાત્રા યોજે તો તેમને કોઇ વાંધો નથી
સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, જો સરકાર સંપૂર્ણ સાવચેતી રાખીને રથયાત્રા યોજે છે, તો તેમને કોઈ વાંધો નથી. આના પર કોર્ટે આદેશ જારી કરવામાં સમય લીધો હતો. આ પછી સીજેઆઈ એસએ બોબડેએ ત્રણ સભ્યોની બેંચની રચના કરી છે, જે આ કેસની સુનાવણી કરશે.
અમદાવાદમાં રથયાત્રા યોજવાની આશા જીવંત
જગન્નાથપુરીમાં રથયાત્રા યોજવા માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતા અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ પણ આશા વ્યક્ત કરી, દિલીપદાસજીએ કહ્યું- મહામારીમાં સંયમ રાખીને ભગવાનના દર્શન કરજો
18 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે લગાવી હતી રોક
નોંધનીય છે કે, કોરોના સંકટને કારણે 18 જૂને, ઓડિશાના પુરીમાં જગન્નાથ યાત્રા યોજવા અને સંબંધિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવી હતી. આ યાત્રા 23 જૂનના રોજ યોજાવાની હતી જેમાં 10 લાખથી વધુ લોકોના એકઠા થવાની ધારણા હતી. આ પ્રોગ્રામ લગભગ 10 દિવસ ચાલે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આદેશ લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.