પહાડી વિસ્તારમાં સતત થઇ રહેલા વરસાદ અને વાદળ ફાટવાની ઘટના ઘટી રહી છે. કાંગડાના વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાથી તબાહી મચી ગઇ છે અને પંજાબી સૂફી સિંગરનું મોત થયુ છે.
સૂફી સિંગરનું વાદળ ફાટતા મોત
હિમાચલ પ્રદેશમાં મળી આવી લાશ
18 વર્ષની યુવતીની પણ લાશ મળી
જાણકારી અનુસાર મંગળવારે રેસ્ક્યૂ ટીમને અહી 6 લાશ મળી આવી છે. જેમાં એક મહિલા અને એક બાળકની લાશ પણ સામેલ છે. કારેરી ગામ પાસે જ રેસ્ક્યૂ ટીમને પંજાબી સૂફી સિંગર મનમીત સિંહની લાશ મળી આવી છે. અન્ય લોકો જે ગાયબ છે તેમને મૃત માનવામાં આવી રહી છે.
ઘર્મશાળા ફરવા આવ્યા હતા સિંગર
પંજાબના અમૃતસર જિલ્લાના રહેવાસી મનમીત સિંહ પોતાના ભાઇ સહિત 5 લોકો સાથે ધર્મશાળામાં ફરવા આવ્યા હતા. તે દરમિયાન આ ઘટના ઘટી હતી અને મનમીત સિંહ મૃત્યુ પામ્યા હતા.
રવિવારે તે કારેરી ઝરણુ ફરવા આવ્યા હતા અને હિમાચલ પ્રદેશમાં ભયંકર વરસાદ શરૂ થઇ ગયો હતો જેથી તેમને ત્યાં જ રોકાઇ જવું પડ્યુ હતુ.
માનવામાં આવી રહ્યું છે કે વરસાદમાં મનમીત અને તેના સાથી તણાઇ ગયા હતા અને મંગળવારે તેમના શબ મળી આવ્યા હતા. તે સિવાય એક 19 વર્ષની યુવતી પણ ગાયબ હતી તેનુ શબ પણ મળી આવ્યુ હતુ.
વરસાદના કારણે પરિસ્થિતિ વકરી
તમને જણાવી દઇએ કે, પહાડી વિસ્તારમાં સખત વરસાદદ પડી રહ્યો હોવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. કેટલીક જગ્યાએ ફસાયેલા લોકો પાસે તો ખાવા પીવાની સુવિધા પણ નથી રહી, ઘણા ટુરિસ્ટ તે જગ્યાએ ફસાઇ ગયા છે.