જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે એક મોટો આતંકી હુમલો નિષ્ફળ થયો હતો. એક વાહનમાં IEDનો મોટો જથ્થો હતો. જેને સુરક્ષા દળોએ શોધી કાઢી તેને ડિફ્યુઝ કરી દીધો હતો. આ મુદ્દે જમ્મુ-કાશ્મીરના આઈજી વિજય કુમાર મીડિયા સાથે રુબરુ થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલા દ્વારા સુરક્ષા દળોને નિશાન બનાવવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકી હુમલો ટળ્યો
પુલવામામાં સેન્ટ્રો કારમાં મળ્યો IEDIG
વિજય કુમારે જણાવ્યું હતું કે શું આતંકવાદીઓની યોજના
જમ્મુ-કાશ્મીરના આઈજી વિજય કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી એવા સમાચાર આવ્યા હતા કે જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન સંયુક્તપણે આવો હુમલો કરી શકે છે. જેના પછી અમે સતત ટ્રેકિંગ પર હતા. ગઈકાલે સાંજે પોલીસે આર્મી, સીઆરપીએફની મદદથી તેનો પીછો કર્યો હતો. અમે નાકા પર ચેતવણી આપતા ફાયરિંગ કર્યુ હતુ. પરંતુ આતંકવાદીએ ગાડી રોકી નહોતી.
વિજય કુમારના કહેવા પ્રમાણે અમે આગલા નાકા ઉપર પણ ફાયરિંગ કર્યુ. પરંતુ ત્યાં અંધારું હોવાથી તે ત્યાંથી ભાગી ગયો. આ પછી અમે વાહન કબજે કરી તેની તપાસ કરી. જેમાં IEDનો મોટો જથ્થો મળી આવ્યો. અમારી ટીમે IED તપાસ્યું અને તેને ડિફ્યૂઝ કર્યુ. આની પાછળ એક મોટા હુમલાનું કાવતરું હતું. જેને નિષ્ફળ બનાવ્યું હતું.
વિજય કુમારે કહ્યું કે આ લોકો છેલ્લા ઘણા દિવસોથી આ ષડયંત્રમાં લાગેલા હતા. પરંતુ તેઓ તે કરી શક્યા નહીં. તેથી અમે હવે પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ અમે તેમને નિષ્ફળ બનાવ્યા. તેમણે કહ્યું કે આ લોકો સુરક્ષાબળોની કોઈપણ પોલીસ કે ટીમને નિશાન બનાવી શકે છે. કારમાં આશરે 40-45 KG સુધી વિસ્ફોટક હતો. જેને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો.
નોંધનીય એ છે કે ગુરુવારે પુલવામા જિલ્લાના રાજપુરા રોડ નજીક એક સેન્ટ્રો કાર કબજે કરવામાં આવી હતી. જેમાં 40 કિલો સુધીનું વિસ્ફોટક હતું. ગુરુવારે સવારે બોમ્બ સ્ક્વોડને બોલાવીને આઈ.ઈ.ડી.ને નિષ્ક્રિય કરવામાં આવ્યું. જ્યારે આ ડિફ્યુઝ કરવામાં આવી રહ્યુ હતું ત્યારે કારમાં બોમ્બ ફૂટ્યો હતો અને તેનો ધુમાડો 50 ફુટ સુધી ઉપર ઉછળ્યો હતો. આ દરમિયાન આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પુલવામામાં પણ આ પ્રકારનો આતંકવાદી હુમલો થયો હતો. ત્યારે પણ એક આતંકવાદી કારમાં વિસ્ફોટક લઇને જઈ સુરક્ષા દળોના કાફલામાં ઘૂસી ગયો હતો. તે સમયે આ આતંકી હુમલામાં સીઆરપીએફના લગભગ 45 જવાન શહીદ થયા હતા.