ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને 'મેન ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પછી મોહમ્મદ કૈફે તેને એક અનોખી સલાહ આપી છે.
ચેતેશ્વર પુજારાનું બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન
મળ્યો 'મેન ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ
મોહમ્મદ કૈફે આપી એક અનોખી સલાહ
ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝ 2-0થી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને 'મેન ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી ભારતના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે પૂજારા સાથે વાત કરી અને તેને અનોખી સલાહ આપી હતી.
કૈફે આપી આ સલાહ
પુજારા સાથે વાત કરતા ભારતના ભૂતપૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે કહ્યું, 'યાર, 100 બનાવ્યા પછી, તમે ખૂબ જ સાધારણ સેલિબ્રેશન કરો છો. થોડુ બેટ ફેરવો, આમ પંચ કરો. કારણ કે તે ટીવી પર બતાવવામાં આવે છે. તો લોકો યાદ રાખે છે કે પૂજારા દરેક વખતે સ્કોર કરી રહ્યો છે. નહીં તો હંમેશા તમારા સ્ટ્રાઈક રેટની વાત થાય છે. તમે કેટલું ધીમું રમો છો તેની વાત થાય છે'.
આગળ બોલતાં કૈફે કહ્યું, 'ભાઈ કંઈક કરો. આ ટ્રોફી તમને મળી છે, પપ્પી લો.. kiss કરો. તેને સોશિયલ મીડિયા પર મૂકો. લોકોને કહો કે હું સારું રમ્યો છું અને કમબેક મેચમાં 'મેન ઓફ ધ સિરીઝ' જીત્યો છું. પૂજારા, પ્લીઝ યાર.'
પૂજારાએ કર્યો કમાલ
ચેતેશ્વર પૂજારાએ બાંગ્લાદેશ સામે તોફાની ઇનિંગ રમી હતી. તેણે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. તેના દમ પર ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવામાં સફળ રહી છે. તેણે 2 મેચમાં 222 રન બનાવ્યા હતા.
ત્રીજા નંબર પર પુજારા ભારતનો સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન છે. તેણે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં શાનદાર વાપસી કરી છે. તેના પાસે તે કાબિલિયત છે કે તે કોઈ પણ બેટિંગ આક્રામણના છક્કા છોડાવી શકે છે.