પરપ્રાંતિય શ્રમિકોને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો છે. જેને લઇને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તૃણમુલ કોંગ્રેસે જણાવ્યું કે અમિત શાહ કાં તો આરોપ સાબિત કરે અથવા માફી માગં. જો કે આ મુદ્દામાં કોંગ્રેસ પણ જોડાઇ ગઇ છે.
કોંગ્રેસે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીએ આવો પત્ર કર્ણાટક અને ગુજરાતના મુખ્યમંત્રીઓને પણ લખવો જોઇએ. આ સાથે લોકસભાના પ્રતિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ અમિત શાહને રાજ્યો સાથે મળીને કામ કરવા સલાહ આપી.
રાજ્ય સરકાર પાસેથની નથી મળી રહ્યો સહકારઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લખેલા પત્રમાં જણાવ્યું કે પરપ્રાંતિયોને ઘરે પહોંચાડવામાં મદદ કરવા માટે રાજ્ય સરકાર તરફથી સહકાર મળી રહ્યો નથી. પશ્ચિમ બંગાળ રાજ્યમાં પ્રવાસીઓને ટ્રેન સુધી પહોંચાવા દેતી નથી.
પશ્ચિમ બંગાળ સુધી ટ્રેનોને નહીં આવવા દેવા એ પ્રવાસી શ્રમિકો સાથે અન્યાય છે. આ તેઓની મુસિબતો વધારશે. પશ્ચિમ બંગાળમાં રહેલા પરપ્રાંતિય શ્રમિકો પણ પોતાના વતનમાં જવા ઉત્સુક છે અને કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેનની સેવા પ્રદાન કરવામાં આવી રહી છે. પરંતુ પશ્ચિમ બંગાળસ સરકારું અમને સમર્થન મળી રહ્યું નથી.
ગૃહમંત્રી શાહ આરોપ સાબિત કરે અથવા માફી માગેઃ ટીએમસી
તૃણમુલ કોંગ્રેસ (TMC) ના અભિષેક બેનર્જીએ પશ્ચિમ બંગાળ સરકાર પરપ્રાંતિયોને લઇને આવનારી ટ્રેનને ન આવવા દેવાના આરોપ લગાવનારા પત્રને લઇને ગૃહ મંત્રી અમિત શાહને જણાવ્યું છે તે કાં તો આરોપ સાબિત કરો અથવા માફી માગે. બેનર્જીએ અમિત શાહના પત્ર પર પલટવાર કરતાં કહ્યું કે ગૃહ મંત્રી અઠવાડિયાઓ સુધી મૌન રહ્યાં બાદ માત્ર ખોટુ બોલીને લોકોને ગુમરાહ કરી રહ્યાં છે.