રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડ્યા બાદ પાર્ટીના ઘણા દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ને આ પદ પર જોવા ઇચ્છે છે. હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ (Captain Amarinder Singh) પણ તેની વકાલત કરી છે. કેપ્ટન અમરિન્દરે સોમવારે કહ્યું કે પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસ અધ્યક્ષ રૂપે એક સાચો વિકલ્પ છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે તે કોંગ્રેસ કાર્યસમિતિ પર નિર્ભર કરશે. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધીના અધ્યક્ષ પદથી ઇનકાર બાદ પ્રિયંકા ગાંધી આ પદ પર યોગ્ય વિકલ્પ રહેશે. પાર્ટી મહાસચિવ પર પૂર્ણ વિશ્વાસ મુકતા કેપ્ટન અમરિન્દરે કહ્યું કે જો એમણે (પ્રિયંકા ગાંધી) કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટાય છે તો તમામ જગ્યાએથી એમને સમર્થન મળશે.
એમણે કહ્યું કે, ''પાર્ટીને પોતાના હાથમાં લેવા માટે પ્રિયંકા ગાંધી બિલકુલ યોગ્ય પસંદગી બની રહેશે. પરંતુ એ પૂર્ણ રીતે કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) પર નિર્ભર કરે છે. સીડબલ્યૂસી જ તેના પર નિર્ણય લેવા માટે અધિકૃત છે.' જોકે, એમણે રાહુલ ગાંધીના અધ્યક્ષ પદને છોડવા પર દુ:ખ દર્શાવ્યું.
કોંગ્રેસ નેતા શશિ થરૂરના પ્રિયંકા ગાંધીને આ પદ પર યોગ્ય પસંદગી બતાવવાના સવાલ પર કેપ્ટન અમરિન્દરે આમ જવાબ આપ્યો હતો. મુખ્યમંત્રીએ આ પહેલા પણ કોઇ યુવા નેતાને પાર્ટી અધ્યક્ષ પદે ચૂંટવા વકાલત કરી હતી. કોંગ્રેસ નેતા શશિ થરૂરે એક દિવસ પહેલા કહ્યું હતું એમને આશા છે કે પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી થવા પર મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમા પોતાની કિસ્મત અજમાવવાને લઇને નિર્ણય લેશે. પરંતુ સાથે જ એમણે કહ્યું કે આ ગાંધી પરિવારનો નિર્ણય હશે કે પ્રિયંકા આ પદ માટે ચૂંટણી લડશે કે નહીં. આ સાથે કેપ્ટન અમરિન્દર સિંહે ઉત્તરપ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સંબંધિત અકસ્માત બનાવ પર 'સ્તબ્ધતા' દર્શાવી છે.
જ્યારે સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ પ્રિયંકા ગાંધીએ અધ્યક્ષ બનવાથી ઇનકાર કર્યો છે. કોંગ્રેસના સીનિયર નેતાઓ દ્વારા પ્રિયંકા ગાંધીને જ્યારે અધ્યક્ષ પદ વિશે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે અધ્યક્ષ પદનો સવાલ જ પેદા નથી થતો. અને મારા નામને આ પદના વિકલ્પ પણ ન માનવામાં આવે. એમણે કહ્યું હતું કે તે પાર્ટીમાં મહાસચિવના પદ પર આગળ પણ કામ કરતી રહેશે.
કોંગ્રેસના સીનિયર નેતાઓને બંધ કવરમાં એક નામ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ પદ માટે અત્યાર સુધીમાં સહમતિ બની શકી નથી. કોંગ્રેસ અધ્યક્ષ પદની પ્રક્રિયામાં કોંગ્રેસના 7 વરિષ્ઠ નેતાઓનું નામ સામેલ કરવામાં આવ્યું છે. જેમા મલ્લિકાર્જુન ખડગે, સુશીલ કુમાર શિન્દે, દિગ્વિજય સિંહ, શૈલજા, મુકુલ વાસનિક, સચિન પાયલટ અને સિંધિયાનું નામ સામેલ છે.