પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં ભેલ લાંબા સમય બાદ સક્રિય બન્યા હોય. પરંતુ અમેઠી અને રાયબરેલીની રાજનીતિ સાથે તેમનો સંબંધ એટલો જ લાંબો છે જેટલો તેમના ભાઇ રાહુલ ગાંધી અને માં સોનિયા ગાંધીનો. અમેઠી અને રાયબરેલી સંસદીય સીટ પર તે ગત બે દસકાથી ચુંટાતા આવ્યા છે.
પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં ભેલ લાંબા સમય બાદ સક્રિય બન્યા હોય. પરંતુ અમેઠી અને રાયબરેલીની રાજનીતિ સાથે તેમનો સંબંધ એટલો જ લાંબો છે જેટલો તેમના ભાઇ રાહુલ ગાંધી અને માં સોનિયા ગાંધીનો. અમેઠી અને રાયબરેલી સંસદીય સીટ પર તે ગત બે દસકાથી ચુંટાતા આવ્યા છે. પરંતુ આ વખતે પ્રિયંકા ગાંધી ઔપચારિક રીતે કોંગ્રેસ પાર્ટીની નેતા છે. રાષ્ટ્રીય મહાસચિવ છે. તેમના ખભે પૂર્વાચલની લગભગ 40 સીટો છે. જ્યાં તેમણે પાર્ટી નેતાના પક્ષમાં પ્રચાર કરવાનો છે. તથા તેમને જીત અપાવાની છે. ઘણો મોટો ભાર હોવા છતા પ્રિયંકા ગાંધી ચુંટણીની ઘોષણા બાદથી અમેઠીમાં છ વાર મુલાકાત કરી ચુકી છે.
સ્થાનિય સૂત્રોનું માનીએ તો, સ્મૃતિ ઇરાનીએ જે રીતે ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને ટક્કર આપી હતી તથા ચૂંટણી હાર મળી હોવા છતા સ્મૃતિ ઇરાની જે રીતે સતત અમેઠીની યાત્રા કરી રહી છે. તથા નરેન્દ મોદીની તરફ માહોલ બનાવવાનો દેશમાં પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે અમેઠીની સીટ રાહુલ ગાંધી માટે એટલી પણ સરળ નથી રહી કે તેને પ્રચાર-પ્રસાર વિના જીતી શકાય.
સ્મૃતિ ઇરાની વર્ષ 2014ની લોકસભા ચુંટણી કોંગ્રેસ ઉમેદવાર રાહુલ ગાંધીથી 1 લાખથી વધારે વોટોથી હારી ગઇ હતી. છતા સ્મૃતિ ઇરાની સતત અમેઠીનો પ્રવાસ કરી રહી છે. તથા લોકો સાથે સંવાદ કરી રહી છે. આ ઉપરાંત સરકારી યોજનાઓનો પણ લાભ પહોંચાડવામાં પણ સ્મૃતિ ઇરાની ઘણું ધ્યાન આપી રહી છે. જેનો સીધો અર્થ એ છે કે સ્મૃતિ ઇરાની જાણે છે કે તેમને વર્ષ 2019માં અહીંથી જ ચુંટણી લડવાની હતી. મૂળ બાબત એ છે કે સ્મૃતિ ઇરાની અમેઠીના લોકો માટે એ તમામ કામ કરવાની કોશિશ કરી રહી છે જેથી રાહુલ ગાંધી તથા ગાંધી પરિવારનું મહત્વ નકારી શકાય.
રાહુલની જીતનું અંતર વધશે
જોકે એ વાત અલગ છે કે કોંગ્રેસ કાર્યકરોનો આરોપ છે કે સ્મૃતિ ઇરાનીએ તો એ યોજનાઓને અમેઠીમાંથી હટાવી દીધી જેને યૂપીએ સરકાર લાવી હતી. કોંગ્રેસ કાર્યકરો મુજબ, સ્મૃતિ ઇરાનીએ વિકાસના નામે અમેઠીમાં કંઇ પણ નથી કર્યું. ન કોઇ એવી યોજના લાવ્યા છે કે જેનાથી જાણી શકાય કે અમેઠીમાં ખરેખર વિકાસ કરવા માંગે છે. કોંગ્રેસ પરિવાર સાથે જૂનો સંબંધ ધરાવતા કોંગ્રેસ નેતા બબ્બન તિવારીનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવારની જડ અમેઠી અને રાયબરેલીમાં એટલી ઊંડી છે કે તેને કોઇ પડકાર ન ફેંકી શકે.
કોંગ્રેસનો ગઢ છે અમેઠી
અમેઠીને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટી અહીં માત્ર બે વાર ચૂંટણી હારી છે. એકવાર 1977માં, જ્યારે અહીંથી લોકદળ ઉમેદવાર રવીન્દ્ર પ્રતાપ સિંહે પોતાની પહેલી ચૂંટણી લડી રહેલા સંજય ગાંધીને હરાવ્યા હતા તથા બીજીવાર 1998માં, જ્યારે બીજેપીના ઉમેદવાર સંજયસિંહે કોંગ્રેસના કેપ્ટન સતીશ શર્માને હરાવ્યા હતા. આમ બે ચૂંટણીને છોડતા બાકી તમામ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ આ સીટ પર 13 વાર જીત મેળવી છે. તથા ગાંધી પરિવારનો કોઇપણ સભ્ય હમેંશા મોટા અંતરથી જીતતો આવ્યો છે. મોદી લહેરમાં પણ સ્મૃતિ ઇરાનીએ 1 લાખથી વધુ વોટોથી હાર મેળવી હતી.
મહત્વપૂર્ણ બાબત એ છે કે ગત કેટલીક ચૂંટણીમાં બીજેપી ત્રણ લાખથી વધારે વોટ મેળવવામાં સફળ બની છે. એવામાં સવાલ ઉભા થાય છે કે ક્યાંક અમેઠીમાં કોંગ્રેસને રાહુલ ગાંધીની હારની આશંકા તો નથી. એ પણ ત્યારે જ્યારે તે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. પ્રિયંકા ગાંધીના સતત પ્રવાસ અને રાહુલ ગાંધીના અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણયને પણ આ પરિપેક્ષ્યમાં જોવામાં આવી રહ્યું છે.
પ્રિયંકા ગાંધીનો ઝંઝાવાતી પ્રચાર
પ્રિયંકા ગાંધીએ સ્મૃતિ ઇરાનીનું નામ લીધા વિના કહી ચૂકી છે કે પાંચ વર્ષમાં તે માત્ર 16 વાર અમેઠી આવી છે. જ્યારે હજુ સુધી તે અમેઠીને યોગ્ય જાણી પણ નથી. જોકે તેનો જવાબ આપતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, હું ખુશ છું કે તે મારા અમેઠીના પ્રવાસનો હિસાબ રાખી રહી છે. પરંતુ એ લોકોને એ બતાવવામાં અસમર્થ છે કે અહીંથી 15 વર્ષના સાંસદ (રાહુલ ગાંધી) ક્યાં છે.
અમેઠીમાં 6 મે મતદાન છે. પ્રિયંકા ગાંધી બુધવારે પણ અમેઠી યાત્રા પર હતી જ્યાં તેમણે ગામેગામ ફરીને જનસંપર્ક સાધ્યો તથા સભાઓ પણ યોજી. જાણકારોનું માનીએ તો, પ્રિયંકા ગાંધી મોટેભાગે તમામ ચૂંટણીમાં અહીં આવતી રહી છે પરંતુ આ ચુંટણી પાર્ટી માટે, તથા રાહુલ ગાંધી માટે સૌથી અલગ છે. યુદ્ધમાં દુશ્મનને પણ કમજોર ન સમજવાની રણનીતિ હેઠળ પ્રિયંકા ગાંધી અમેઠીમાં કોઇ કસર છોડવા માંગતી નથી.