દર વર્ષની જેમ આ વખત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરહદ પર જવાનો સાથે દિવાળી ઊજવશે. હાલ પીએમ મોદીના આ કાર્યક્રમને ટોપ રાખવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વખતે પીએમ મોદી ઉત્તરાખંડમાં ચીન સાથે જોડાયેલી સરહદ પર સેના અને આઇટીબીપીના જવાનો સાથે દિવાળી ઊજવશે. એની સાથે જ પ્રધાનમંત્રી મોદી પોતાના ડ્રીમ પ્રોજક્ટ કેદારનાથ ધામના પુનનિર્માણ કાર્યોની ચકાસણી કરવા માટે કપાટ બંધ થવાના પ્પસંગે પર દિવાળીના દિવસે 7 નવેમ્બરે ત્યાં જશે.
જો કે આવું પહેલી વખત નથી કે મોદી દિવાળીના તહેવારે સેના સાથે દિવાળીની ઊજવણી કરશે. મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પોતાની ચાર દિવાળી સેનાના જવાનો સાથે સરહદ પર ઊજવી ચુક્યા છે.
સાથે જ પ્રધાનમંત્રી મોદી કેદારનાથમાં પુનનિર્માણની ઘણી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. એમાં મંદિર સુધી જતો રસો મંદાકિની નદી પર બનેલા ઘાટ અને પુરોહિતો માટે ઘર સામેલ છે. આ સાથે જ પ્રધાનમંત્રી કેદારનાથ મંદિરની પાસે શંકરાચાર્યની મનહત્વાકાંક્ષઈ સમાધિનું પણ શિલાયન્સ મૂકશે.
પીએમ મોદીના રસ્તે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ આ વખતે દિવાળી અરુણાચલની દિબાંગ ઘાટીમાં ચીન સાથે જોડાયેલી સરહદ પર સેનાના જવાના સાથે ઊજવશે. રક્ષા મંત્રીની સાથે સેના પ્રમુખ જનરલ બિપીન રાવત પણ દિવાળીના તહેવારે સરહદ પર જવાનો સાથે ચા નાસ્તો કરશે.