પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી પેરીસથી અબુધાબી પહોંચ્યા હતા. નોંધનીય છે કે, UAEમાં PM મોદીનું સર્વોચ્ચ સમ્માન કરવામાં આવશે. તેમને ઓર્ડર ઓફ ઝાયદથી સમ્માનિત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, એપ્રિલમાં UAEએ આ સન્માન અંગેની જાહેરાત કરી હતી.
PM મોદી UAEના બે દિવસના પ્રવાસે
ત્યારે હાલ PM મોદી UAEના બે દિવસના પ્રવાસે છે ત્યારે તેમને અહીં આ અવોર્ડ આપવામાં આવશે. પ્રવાસ દરમિયાન તેઓ UAEમાં દ્વિપક્ષીય, ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મામલાની ચર્ચા કરશે. તેઓ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન અલ નાહયાન સાથે પણ મુલાકાત કરશે.
United Arab Emirates: Prime Minister Narendra Modi arrives at Abu Dhabi. PM would be meeting the Crown Prince of Abu Dhabi, Sheikh Mohammed bin Zayed Al Nahyan to discuss bilateral, regional and international matters of mutual interest. pic.twitter.com/m5rW3yXkXH
પ્રધાનમંત્રી મોદીને UAE માં ત્યાંના સર્વોચ્ય નાગરિક સન્માન ઝાયદ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનની જાહેર UAEએ એપ્રિલમાં કરી હતી. અને જણાવ્યુ હતું કે મોદિને બંને દેશો વચ્ચે લાંબી મૈત્રી અને સંયુક્ત રણનીતિક સહયોગને વધારવામાં તેમની ભૂમિકા માટે રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયદ અલ નાહયાને આ સન્માનની જાહેરાત કરી હતી.
UAE અને ભારત વચ્ચે વેપારી સંબંધો વધુ ગાઢ બનશે
અત્યારે UAE અને ભારત વચ્ચે વેપારી સંબંધો ઘણા ગાઢ બન્યા છે. વેપારના ક્ષેત્રે UAE ભારતનો ત્રીજો સૌથી મોટો ભાગીદાર દેશ બની ગયો છે. બંને દેશો વચ્ચે લગભગ 60 અરબ ડોલરનો વાર્ષિક દ્વિ-પક્ષીય વેપાર થયો છે. આવામાં પ્રધાનમંત્રી મોદીનું UAE જવું, બંને દેશોના સંબંઘો વધુ દ્રઢ બનાવવામાં મદદગાર સાબિત થશે.