રાજકોટ,ગાંધીનગર અને કલોલ એમ એક જ દિવસમાં ત્રણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ
પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ
સવારે રાજકોટમાં અને સાંજે ગાંધીનગરની મુલાકાત કરશે PM મોદી
કલોલમાં ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મે,2022ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10 વાગ્યે, પ્રધાનમંત્રી નવનિર્મિત રાજકોટમાં આટકોટ ખાતેની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે. ડી. પી.ની મુલાકાત લેશે. આ હોસ્પિટલ જેની મુલાકાત પ્રધાનમંત્રી દ્વારા લેવામાં આવી રહી છે, તેનું સંચાલન પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે. તે ઉચ્ચતમ તબીબી સાધનો ઉપલબ્ધ કરાવશે અને પ્રદેશના લોકોને વિશ્વ કક્ષાની આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડશે. આ મુલાકાત પછી પ્રધાનમંત્રી જાહેર સમારોહમાં સંબોધન કરશે.
ગાંધીનગરમાં સહકાર સંમેલનને સંબોધશે
લગભગ બપોરે 4 કલાકે, પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે, જ્યાં તેઓ IFFCO, કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000 થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલું તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.
કલોલમાં નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.
ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં
આ સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે તેઓ 27 મેની મોડી રાત્રે અમદાવાદમાં આવી ગયા છે. 28મેના રોજ અમિતશાહનું જામનગર એરપોર્ટ પર આગમન થશે. જામનગરથી હેલિકોપ્ટર દ્વારા તેઓ દ્વારકા પહોંચશે. દ્વારિકાધીશ સમક્ષ શિષ ઝુકાવીને તેઓ મરીન પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે.
ગુજરાતમાં ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
આજનો 28મેનો કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે
આજે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે
દ્વારકામાં પોલીસ કોસ્ટલ એકેડમીની મુલાકાત કરશે
બપોર બાદ ગાંધીનગર મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજર રહેશે