ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીનું નિધન થતાં સમગ્ર દેશ શોકમગ્ન થયો હતો. ત્યારે આજે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવતા દેશ-વિદેશના કેટલાક દિગ્ગજ નેતાઓ અને સંતો-મહંતોએ શબ્દો દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરીને અટલ બિહારી વાજપાઇને યાદ કર્યા હતા.
ત્યારે ભારતના કેટલાક આધ્યાત્મિક ગુરૂઓએ પણ વાજપાયીને શ્રધ્ધાજલિ અર્પી હતી. વાજપેયી મહાન સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ સાથે વિરલ સ્નેહભાવ ધરાવતા હતા.
અનેક મુશ્કેલીઓ અને રાજકીય ચઢાવ-ઊતાર વચ્ચે વાજપેયીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાની આત્મશ્રદ્ધાને વિશેષ દૃઢાવી હતી.
1999માં પુનઃ ભારતના વડાપ્રધાન તરીકેનું સુકાન સંભાળીને વાજપેયી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ મેળવવા ગાંધીનગર આવ્યા હતા ત્યારે આશીર્વાદ આપતાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વાજપેયીને કહ્યું હતું કે ‘તમે સાચા હૃદયે દેશભક્તિથી કાર્ય કરો છો માટે તમારો યશ શાશ્વત રહેશે.'.
પૂજ્ય મહંત સ્વામી મહારાજે વડોદરા ખાતે હજારોની ભક્તમેદની વચ્ચે વાજપેયીના તિરોધાન પ્રસંગે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી હતી. તેઓએ જણાવ્યું કે ‘આદરણીય વાજપેયીએ પોતાનું સમગ્ર જીવન દેશસેવા અને લોકસેવા માટે સમર્પિત કર્યું હતું. તેઓ સાચા અર્થમાં એક વિરલ ભારતરત્ન હતા જેમણે સમરસતાથી દેશના ઉદ્ધારનું એક નવીન સ્વપ્ન સેવ્યું હતું.