ઉત્તરથી દક્ષિણ ભારત સુધી પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમમાં ભ્રષ્ટાચાર ચાલું છે. ચાહે તે તમિલનાડુ હોય તે યુપીના બારાબંકી અને મિર્જાપુર. ભ્રષ્ટાચારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌથી મોટી કિશાન યોજનાને પણ નથી છોડી. જોકે અનેક જગ્યાએ ગડબડીના સમાચાર આવતા સરકારે સખત વલણ અપનાવ્યું છે. જ લોકોએ ખોટી રીતે પૈસા લીધા છે તેમની પાસેથી પૈસા પાછા વસૂલવામાં આવી રહ્યા છે. એવું નહીં થાય તો સરકારી પૈસાની રિકવરી માટે કૃષિ વિભાગ એફઆઈઆર દાખલ કરશે.
સરકારી પૈસાની રિકવરી માટે કૃષિ વિભાગ એફઆઈઆર દાખલ કરશે
આ લોકો પાસેથી પૈસા પાછા વસૂલવામાં આવી રહ્યા છે
છે. 34 અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે
ગત સપ્ટેમ્બર મહિનામાં ખબર પડી કે યુપીના બારાબંકી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિમાં મોટી ગડબડી છે. અઢી લાખ ગેરલાયક લોકોને પૈસા મળ્યા છે. પ્રશાસને પૈસા પાછા વસૂલવાનું અભિયાન હાથ ધર્યુ છે. સપ્ટેમ્બરમાં ગાજીપુરમાં આ મામલામાં 1.50 લાખ નકલી ખેડૂતોના નામ ડિલીટ કરવામાં આવ્યા છે. તમિલનાડુમાં આ ગડબડીને લઈને મોટી કામગીરી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર 96 કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સેવાઓને સમાપ્ત કરી દેવામાં આવી છે. 34 અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 13 જિલ્લામાં એફઆઈઆર નોંધી 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જો તમે ખોટી રીતે લાભ લીધો છે તો એ નક્કી છે કે તમારે પૈસા પાછા કરવાના રહેશે. જો તમને પૈસા પાછા કરવાની સૂચના આપવામાં આવે છે તો તેમણે પૈસા પાછા કરવાના રહેશે. આવા લોકોને પૈસા ડીબીટી (Direct Benefit Transfer)થી ગયા છે તો ડીબીટીથી પાછા લેવામાં આવશે.
કેવી રીતે પાછા લેવાસે પૈસા
સૂત્રોનું કહેવું છે કે આવા લાભાર્થી પોતાના બેંકને ટ્રાન્જેક્શન પાછું લેવાની અરજી આપે. બેંક આ પૈસાને અલગ અકાઉન્ટમાં નાંખે અને સરકારને પાછા આપે. રાજ્ય સરકારો લાભાર્થીને પૈસા રિફંડ કરવામાં મદદ કરે. રાજ્ય બિન યોગ્યતા વાળા લોકો પાસેથી પૈસા લઈને https://bharatkosh.gov.in/માં જમાં કરાવે.