પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 150 પેસેન્જર ટ્રેનોને પ્રાઇવેટ હાથોમાં સોંપવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. સરકારી સૂત્રો મુજબ, નાણા મંત્રાલયની સાર્વજનિક-ખાનગી ભાગીદારી મુલ્યાંકન સમિતિએ આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પ્લાન હેઠળ આ 150 ટ્રેન 100 રૂટ પર ચલાવવામાં આવશે.
આ પ્લાન હેઠળ આ 150 ટ્રેન 100 રૂટ પર ચલાવવામાં આવશે
ભારતમાં સૌથી પહેલી પ્રાઇવેટ ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' જેને હાલમાં જ લીલીઝંડી બતાવાઇ
રેલવે મંત્રાલય આ પ્લાનને કાર્યાન્વિત કરવા માટે કામ કરી રહ્યું છે. પ્રોજેક્ટ આગળ લઇ જવા માટે હજુ હરાજી પ્રક્રિયા થશે. નોંધનીય છે કે, ભારતમાં સૌથી પહેલી પ્રાઇવેટ ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' જેને હાલમાં જ લીલીઝંડી બતાવાઇ હતી. ખાનગી કંપની દ્વારા સંચાલિત તેજસ એક્સપ્રેસ પહેલી ટ્રેન છે.
તેજસ ટ્રેન બાદ રેલવે મંત્રાલય 150 ટ્રેન અને 50 સ્ટેશનોને પ્રાઇવેટ હાથોમાં સોંપવાની તૈયારી કરી રહ્યું હતું. રેલવે મંત્રી અને નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતની વચ્ચે વાતચીત બાદ રેલવે મંત્રાલયે આ નિર્ણય લીધો હતો. રેલવે મંત્રી સાથે બેઠક બાદ નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવને પત્ર લખ્યો હતો. આ પત્ર અનુસારસ એ નક્કી કરવામાં આવ્યું હતું કે, પહેલા ચરણમાં 150 ટ્રેનોના સંચાલનનું કામ પ્રાઇવેટ ઓપરેટરોને આપવામાં આવશે.
પત્રમાં નીતિ આયોગના સીઇઓએ લખ્યું છે, ' જેવી આપને જાણકારી છે કે રેલવેને 400 રેલવે સ્ટેશનોને પંસદ કરીને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાના હતા. પરંતુ આ પ્રતિબદ્ધતા ઘણા વર્ષોથી દર્શાવાઇ રહી હતી. ત્યારબાદ પણ વાસ્તવમાં એમ ન થઇ શક્યું. માત્ર ગણતરીના મામલાઓને છોડીને, ઇપીસી મોડ દ્વારા કામ થયું હતું.
નોંધનીય છે કે, 'તેજસ એક્સપ્રેસ' (Tejas Express) દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન છે. પ્રાઇવેટ ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' થી યાત્રા કરનારા યાત્રાળુઓને જો ટ્રેન સમયસર પહોંચાડતી નથી તો તેના બદલામાં યાત્રાળુઓને વળતર આપવામાં આવશે.