રાજ્યના કૃષિમંત્રીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં કોલસાની અછતને લઈને વીજકાપ છે. ખેડૂતોને વીજળી મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસ ચાલુ છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલની VTV સાથે વાતચીત
કોલસાની અછતને લઈ વીજકાપ છે: કૃષિમંત્રી
ખેડૂતોને વીજળી મળે તે માટે પ્રયાસ ચાલુ છે: કૃષિમંત્રી
ગુજરાતમાં વીજકાપને લઈને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે vtv ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજ્યમાં વીજ અછતને લઈને વીજ કાપ છે, તેમજ ખેડૂતોને વીજળી મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસ ચાલું છે. વીજ કાપ ન થાય તે માટે કામ કરી રહ્યા છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલની VTV સાથે વાતચીત
દેશ અને રાજ્યમાં કોલસાની અછત સર્જાતા વીજ પૂરવઠા પર તેની અસર થઈ છે. ત્યારે કૃષિ મંત્રીએ કોલસાની અછતને મુદ્દે કહ્યું કે સૌરઉર્જાથી વીજ ઉત્પન્ન કરતા હોય તો અછત ન થાય, પરતું કેટલાક કારણોસર ખેડૂતોને પૂરતી વીજળી મળી નથી રહી, સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના પણ લાગુ કરાઈ હતી પણ હાલ તે લાગુ કરી શકાઈ નથી. જ્યારે કૃષિમંત્રીને જમીન રિ સર્વે બાબતે પ્રશ્ન પૂછાતા તેમણે કહ્યું કે જમીન રિ-સર્વેની ફરિયાદ મળે છે. રિ-સર્વે બાબતે ખેડૂતોને મદદ કરીશું, જો કે એ મહેસુલ વિભાગનો પ્રશ્ન છે, જેને લઈને મહેસૂલ મંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
કોલસાની અછતને લઈ વીજકાપ છે: કૃષિમંત્રી
મબત્વનું છે કે રાજ્યમાં વીજ કટોકટી સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ઉત્તર ગુજરાતમાં સિંચાઇ માટેના વીજ પુરવઠામાં પણ વીજકાપ મુકી દેવાયો છે. UGVCL દ્વારા 8 કલાક પણ વીજળી ન અપાતાહોવાના આક્ષેપો લાગી રહ્યા છે અડધી રાત્રે વીજ કાપ થતા ખેડૂતોને ઉજાગરા કરવા પડી રહ્યાં છે, લોડ સેન્ટિગ તેમજ અવનવા બહાના હેઠળ અધિકારીઑ વીજકાપ કરી રહ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે અને ઉપરથી પુરતો પુરવઠો ન આવતો હોવાનો દાવા થતા હવે ખરેખર વીજ સંકટના એધાણ વર્તાઈ રહ્યા છે.
ખેડૂતોને વીજળી મળે તે માટે પ્રયાસ ચાલુ છે: કૃષિમંત્રી
કોલસાની અછત પછી સ્થિતિ વણસી છતાં સબ સલામતના દાવાથી તંત્રની નીતિ ઉઘાડી પડી છે. સૌરાષ્ટ્ર્રમાં વીજકાપને લઇને ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે. મનપા અને નગરપાલિકામાં દૈનિક કેટલાક કલાક વીજકાપ તો સૌરાષ્ટ્ર્રમાં ખેતીવાડીમાં પરોક્ષ વીજકાપ લાગુ કરવાં આવતા ખેડૂતો અકળાયા છે. PGVCL અને PGVCL અધિકારીઓ દ્વારા ઉદ્યોગોમાં કોઇ વીજકાપ કરવામાં આવતો નથી જ્યારે સિંચાઇમાં લોડ સેટિંગના નામે ખેડૂતો માટે વીજકાપ લદાય છે. જેથી ખેડૂતો પુરતો 8 કલાક વીજ પુરવઠો ન મળતો હોવાની ફરિયાદ કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના ઉંઝામાં પણ 8 ક્લાકને બદલે 5 ક્લાક જેટલો વીજ પુરવઠો આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.