એક તરફ વર્તમાન સરકાર દેશભક્તિને પોતાની જાગીર ગણાવવા ઉધામા કરી રહી છે, ત્યારે બીજી તરફ તેમનાં જ વિભાગનાં અધિકારીઓ દેશ માટે કુરબાની આપનાર વીર શહીદોનું અપમાન કરી રહ્યાં છે. કચ્છનાં માંડવી ખાતે શ્યામજીકૃષ્ણ વર્મા ક્રાંતિતીર્થમાં ભારતનાં અનેક ક્રાંતિકારીઓનાં પોટ્રેઇટ મૂકવામાં આવ્યાં છે.
તેમાં શહીર વીર ઉધમસિંહનું પોટ્રેઇટ ન હોવાથી પૂર્વ આઈએએસ પ્રવીણ ગઢવી અને ગુજરાત દલિત સાહિત્ય અકાદમી દ્વારા જુલાઈ 2017માં મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેને ઓગસ્ટ 2018માં તેમણે મંજૂરી આપી દીધી હતી.
આ વાતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં જીએમડીસી દ્વારા તેનો અમલ થતો નથી. જુદાજુદા બહાનાઓ અને વાંધાવચકા કાઢીને શહીદનું પોટ્રેઇટ મૂકવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. જીએમડીસીનાં મેનેજિંગ ડિરેક્ટરનાં નકારાત્મક વલણને કારણે શહીદનું અપમાન થઈ રહ્યું હોવાની લાગણી દલિત સમાજમાં તીવ્ર બની રહી હોવાનું શ્રી ગઢવીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આજથી 200 વર્ષ પહેલાં થયેલાં જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા ક્રાંતિવીર ઉધમસિંહે તે વખતનાં માર્શલ લો જનરલ ઓ. ડાયરની લંડનમાં હત્યા કરીને બદલો લીધો હતો. જેને કારણે તેમને વર્ષ 1940માં ફાંસી આપવામાં આવી હતી. આટલી મોટી ઘટનાનાં સાક્ષી હોવા છતાં શહીર વીર ઉધમસિંહનું પોટ્રેઇટ મૂકવામાં ન આવતા રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.