મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. ગડકરીએ કહ્યું કે ક્રિકેટ અને રાજકારણમાં કંઇ પણ થઇ શકે છે. ક્યારેક-ક્યારેક લાગે છે તમે મેચ હારી રહ્યાં છો પરંતુ પરિણામ તદ્દન વિપરીત આવે છે.
મહારાષ્ટ્ર સંકટ પર નીતિન ગડકરીએ કરી ટિપ્પણી
ક્રિકેટ અને રાજકારણમાં કંઇ પણ થઇ શકે
ક્યારેક તમને લાગે મેચ હારી રહ્યાં છો, પરંતુ પરિણામ વિપરીત આવે
#WATCH "Anything can happen in cricket and politics. Sometimes you feel you are losing the match, but the result is exactly the opposite. Also, I have just arrived from Delhi, I don't know the detailed politics of Maharashtra,"Union Min Nitin Gadkari on Maharashtra govt formation pic.twitter.com/JB6cfeMRok
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રની સરખામણીમાં દિલ્હીનું રાજકારણથી વધુ સંબંધિત છે. નીતિન ગડકરીએ આ વાત મહારાષ્ટ્રમાં આવ્યા બાદ કરેલી પત્રકાર પરિષદમાં આ વાત જણાવી હતી.
ઉલ્લેખનીય છે કે શિવસેનાએ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે વર્ષો જૂનો સંબંધ તોડી નાખી NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનવવાના પ્રયત્ન કરી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એ વાતથી ઇન્કાર કરી દીધો છે કે એક ગેર ભાજપા સરકાર આવવાથી ફડણવીસ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ પર કોઇ અસર થશે નહીં. ગડકરીએ કહ્યું કે ગેર ભાજપ સરકાર પર આગળના કામના પ્રોજેક્ટ પર કોઇ અસર જોવા મળશે નહીં. આપણા લોકશાહીમાં સરકાર બદલાતી રહે છે પરંતુ પ્રોજેક્ટ કોઇપણ સમસ્યા વગર ચાલતા રહે છે.
Union Min Nitin Gadkari on being asked what will happen to ongoing infrastructure projects in Mumbai if Maharashtra gets a non-BJP govt:Govts change,but projects continue.I see no problem with it. Be it BJP,NCP or Congress,any party which forms govt will support positive policies pic.twitter.com/E35mybghxM
નીતિન ગડકરીએ એ બાબત કાંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો કે અંતમાં રાજ્યમાં કઇ પાર્ટી સત્તામાં આવશે. ગડકરીએ કહ્યું કે આ ખોટા વ્યક્તિ સામે કરવામાં આવેલો આ સવાલ છે. જે લોકો સરકાર બનાવવાની યોજના બનાવી રહ્યાં છે તેઓ આ સવાલનો જવાબ આપવાની સારી સ્થિતિમાં છે.