રાખી સાવંતે પતિ આદિલ દુર્રાનીના વિરૂદ્ધ નોન બેલેબલ FIR નોંધાવી છે. જેથી આદિલને મંગળવારે સવારે પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. રાખીનો આરોપ છે કે આદિલે તેની સાથે મારપીટ કરે છે.
રાખી સાવંતે પતિ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ
રાખીએ પતિ પર લગાવ્યા મારપીટના આરોપ
પોલીસે આદિલને લીધો કસ્ટડીમાં
મંગળવારે સવારે રાખી સાવંતના પતિ આદિલ દુર્રાનીની પોલીસે ધરપકડ કરી છે. હાલ આદિલ પર 504, 506, 323 અને 406ની કલમ લગાવવામાં આવી છે. જેના હેઠળ પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. આદિલસ હાલ ઓસિવારા પોલિસ સ્ટેશનમાં છે. જ્યાં તેનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે અને તેની પુછપરછ કરવામાં આવી છે.
રાખીએ લગાવ્યા આ આરોપ
રાખીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે સવારે તેને પકડીને લઈ જવામાં આવ્યો છે. તેણે મારી સાથે ખૂબ જ ખરાબ કર્યું છે. સવારે એ મારા ઘરે આવ્યો અને મારી સાથે મારપીટ કરવા લાગ્યો. મેં તરત પોલીસને ફોન કરી બોલાવી અને પોલીસ તેને લઈ ગઈ. મેં બે દિવસ પહેલા એફઆઈઆર લખાવી હતી. જ્યાં એનસી થઈ હતી જેના આધાર પર પોલીસે તેને FIRમાં કન્વર્ટ કરી લીધી હતી.
તે મને મળવા સવારે કહ્યા વગર આવી ગયો હતો અને જોર-જબરદસ્તી કરવા લાગ્યો. મેં પહેલા જ બે વખત આદિલના વિરૂદ્ધ કેસ દાખલ કરાવી ચુકી છું પરંતુ મેં મીડિયા સામે તેનો ઉલ્લેખ નથી કર્યો. પોલીસે તે સમયે આદિલને સમજાવ્યો પણ હતો. તે વખતે નોન કોન્ટ્રોલબેલ ઓફેન્સ લખાવી હતી. ગઈકાલે રાત્રે FIR કરાવી છે.
હવે ડિવોર્સ લેવા ઈચ્છે છે રાખી
રાખીએ આગળ કહ્યું, હું હવે આદિલ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા નથી ઈચ્છતી. હવે હું તે વ્યક્તિ સાથે નથી રહી શકતી. જે આટલી બધી યુવતીઓ સાથે સંબંધ ધરાવે છે. હું ઈચ્છુ છું કે તે માફી માંગી લે અને તનુને છોડીને મારી પાસે આવી જાય. હવે મેં નક્કી કરી લુધુ છે કે હવે હું ડિવોર્સ લઈશ.