સવારનો નાસ્તો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે જેમાંથી પૌંહા એક એવો નાસ્તો છે જે પૂરા ભારતમાં ખૂબ જ ખવાય છે. જે લોકો ડાયટિંગ કરે છે એમના માટે પૌંહા સવારે નાસ્તામાં ખૂબ જ ફાયદાકારક છે. એને ખાવાથી ક્યારેય પણ પેટ બહાર આવતું નથી. પૌંહામાં ખૂબ જ પ્રમાણમાં વિટામીન મિનરલ અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે.
પૌંહા તમે ઇચ્છા મુજબ બનાવી શકો છો. તમે ઇચ્છો તો એમાં પોતાની મરજી મુજબ કેટલાક લીલા શાક મિક્સ કરીને એને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકો છો. પૌંહાને નાસ્તામાં ખાવાથી લોહીની કમી દૂર થાય છે શરીરને એનર્જી મળે છે અને ડાયાબિટીસની બિમારી પણ દૂર કરે છે.
નાસ્તામાં પૌંહાના સેવનથી તમારું સ્વાસ્થ્ય યોગ્ય રહેશે અને પેટ ભારે પણ લાગશે નહીં.
પૌંહા ખાવાથી સ્વાસ્થયને મળતા લાભ
એનર્જીથી ભરપૂર
તમારો બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો જોઇએ એટલા માટે પૌંહા એક સારો વિકલ્પ છે. એને બ્રેકફાસ્ટમાં ખાવાથી તમને દિવસભર કામ કરવા માટે એનર્જી મળે છે. આટલું જ નહીં તમે એને લંચ ટાઇમમાં પણ ખાઇ શકો છો.
આયરન
તમારા શરીરમાં જો આયરનની ખામી છે તો પૌંહા ખાવાથી એને દૂર કરી શકાય છે. પૌંહામાં ખૂબ જ પ્રમાણમાં આયરન હોય છે. એને ગર્ભવતી મહિલા અને નાના બાળકોએ જરૂરથી ખાવા જોઇએ. જેનાથી એના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધી શકે.
યોગ્ય પ્રમાણમાં હેલ્ઘી કાર્બોહાઇડ્રેટ્સ
સવારે નાશ્તામાં શરીરને કાર્બોહાઇડ્રેટ્સ આપવા માટે પૌંહાનું સેવન કરવામાં આવી શકે છે. જો શરીરને જરૂર પૂરતું કાર્બોહાઇડ્રેટ્સ પ્રાપ્ત થતું નથી તો શરીરમાં થાક રહે છે. કાર્બોહાઇડ્રેટ્સથી શરીરમાં એનર્જી આવે છે એટલા માટે સવારે એક પ્લેટ પૌંહા જરૂરથી ખાવા જોઇએ.
ડાયાબિટીસના દર્દીઓ માટે
જો લોકોને ડાયાબિટીસ છે એમના માટે પૌંહાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. એને ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે. એનાથી બીપી પણ કંટ્રોલમાં રહે છે.