નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક ગોટાળા મામલે આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી વિરુદ્ધ ઇન્ટરપોલ જલ્દી રેડ કોર્નર નોટિસ જારી કરી શકે છે.
ઇડીએ ઇન્ટરપોલથી આ બંનેની વિરુદ્ધ ઇન્ટરપોલ નોટિસ જારી કરવાનો અનુરોધ કર્યો છે. હવે ઇન્ટરપોલ આગળના 10 દિવસમાં રેડ કોર્નર નોટિસ જારી કરી શકે છે.
નોંધનીય છે કે નીરવ અને મેહુલ PNBમાં LOU દ્વારા 12 600 કરોડ રૂપિયાથી વધારે ગોટાલો કરવાના આરોપી છે. પીએનબીનું એલઓયૂ મેળવીને બંનેની કંપનીઓ ભારતીય બેંકોની વિદેશી શાખાઓથી લોન પ્રાપ્ત કરતી હતી.
રેડ કોર્નર નોટિસ એક એવા વ્યક્તિને શોધવા અને એને અસ્થાયી રૂપથી ધરપકડ કરવાનો અનુરોધ છે જેને આપરાધિક મામલામાં દોષિત માનવામાં આવ્યા છે. માત્ર રેડ કોર્નર નોટિસ જારી કરવાનો અર્થ એવો નથી કે વ્યક્તિ દોષિત છે. એને કોર્ટ દ્વારા દોષિત માનવામાં આવે. આ પ્રકારની નોટિસ એક સભ્ય દેશના અનુરોધ પર પ્રધાન સચિવાલય દ્વારા કોઇ અપરાધીના વિરુદ્ધ સભ્ય દેશ દ્વારા ધરપકડનું વોરંટના આધાર પર જારી કરવામાં આવી શકે છે. રેડ કોર્નર નોટિસ એક આતંરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ નથી.