આ સરકાર દ્વારા ચાલતી એક સોશિયલ સિક્યોરિટી સ્કીમ છે જેનાથી સીનિયર સિટીઝનને સુરક્ષિત ભવિષ્ય આપવામાં મદદ મળશે.
મોદી સરકારની આ યોજનાનો ઉઠાવો લાભ
વર્ષ 2017માં થઈ હતી આ સ્કીમની શરૂઆત
વરિષ્ઠ નાગરિકોને મળશે પેન્શનની સુવિધા
સરકાર નાગરિકોને પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે અલગ અલગ પ્રકારની યોજના (Different Schemes for Better Future) લઈને આવે છે. આ સ્કીમમાં રોકાણ (Investment in Different Schemes) કરી લોકો 60ની ઉંમર બાદ પેન્શનનો લાભ ઉઠાવી શકે છે. એવી જ એક પેન્શન સ્કીમ યોજના છે પ્રધાનમંત્રી વંદના યોજના (PM Vaya Vandana Scheme). આ સ્કીમની શરૂઆત કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2017માં કરી હતી.
આ યોજનાને શરૂ કરવાની પાછળ સરકારનો હેતુ છે કે તે દેશના વરિષ્ઠ નાગરિકોને પેન્શન સ્કીમના ફાયદા આપી શકે છે. આ યોજના દ્વારા દેશના 60 વર્ષથી વધારે ઉંમર ધરાવતા નાગરિક પોતાના માટે મહિનાની પેન્શન સ્કીમની પસંદગી કરી શકે છે. આ સ્કીમમાં પૈસા રોકાણ કરવા પર સીનિયર સીટિઝનને 10 વર્ષમાં 8 ટકા વ્યાજ (Rate of Interest on PM Vaya Vandana Scheme) મળે છે. જો નાગરિક વર્ષનો પ્લાન પસંદ કરે છે તો તેમને 8.3 ટકા વધારે વ્યાજદર મળે છે.
આ સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સોશિયલ સિક્યોરિટી સ્કીમ છે જેનાથી સીનિયર સિટીઝનને સુરક્ષિત ભવિષ્ય આપવામાં મદદ મળે છે. આ યોજનાને સરકાર એલઆઈસીની સાથે મળીને ચલાવે છે. તેમાં કોઈ પણ 60 વર્ષથી વધારેનો વ્યક્તિ રોકાણ કરી શકે છે. તેમાં રોકાણની સીમા 15 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
તમને જણાવીએ કે આ યોજના દ્વારા તમે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે રોકાણ કરી શકે છે. આ સ્કીમને ખરીદવા માટે તમારે એલઆઈસીની વેબસાઈટ પર જઈને ચેક કરવાનું રહેશે. તે ઉપરાંત એલઆઈસીની બ્રાંચમાં જઈને પણ તમે રોકાણ કરી શકો છો.
પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ પહેલા જાણીલો જરૂરી વાત
આ યોજનામાં રોકાણ કરવા પર તમને કોઈ પણ પ્રકારની ટેક્સ છૂટનો લાભ નહીં મળે.
તેમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ હોવી જોઈએ.
તમાં તમે 31 માર્ચ 2023 સુધી જ રોકાણ કરી શકો છો.
તેમાં રોકાણના આધાર પર સીનિયર સિટીઝનના દર મહિને 1,000 રૂપિયાને લઈને 9,250 રૂપિયા સુધી રોકાણ કરવામાં આવે છે.
આ પ્લાનને GSTના દાયરાથી બહાર રાખવામાં આવ્યો છે.
આ રીતે પોલિસી લઈ શકો છો પરત
તમને જણાવી દઈએ કે રોકાણ બાદ જો કોઈ પૈસા પરત લેવા માંગે છે તો તે 15 દિવસની અંદર તેને પરત પણ કરી શકે છે. એલઆઈસીએ ઓફિસથી ખરીદવામાં આવેલી પોલિસી 15 દિવસની અંદર અને ઓનલાઈન ખરીદી કરવામાં આવેલી પોલિસી 30 દિવસની અંદર પરત આપવાની હોય છે. ત્યાર બાદ નિયમો અનુસાર ગ્રાહકને તેનું રિફંડ પરત કરી દેવામાં આવશે.