પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું છે. ડેરા બાબા નાનકમાં પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું છે કે આ ધરતી પર આવી ધન્યતા અનુભવું છે. કરતાર પુર કોરિડોર દેશને સમર્પતિ કરી રહ્યો છે. પીએમ મોદીએ કોરિડોરને લઇને ઇમરાન ખાનનો આભાર માન્યો
આઝાદ ભારતની રક્ષામાં શીખોનું યોગદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની એકતા, ભારતની રક્ષા-સુરક્ષાને લઇને, ગુરૂનાનક દેવજીથી લઇને ગુરુ ગોવિંદજી ને લઇને બધા ગુરૂ સાહેબે ઘણા બલિદાન આપ્યાં છે. આ પરંપારને આઝાદીની લડાઇ અને આઝાદ ભારતની રક્ષામાં શીખ સાથીઓએ પૂરી શક્તિથી કામ કર્યું છે.
ઇમાનદારીથી કરેલા વિકાસથી ખુલે છે ઉન્નતિનો રસ્તો
પીએમ મોદીએ કહ્યું કે ગુરૂનાનક દેવે શીખ આપી છે કે સચ્ચાઇ અને ઇમાનદારથી કરેલા વિકાસથી હંમેશા ઉન્નતિ અને સમૃદ્ધિનો રસ્તો ખુલી રહ્યો છે.
PM Modi at Dera Baba Nanak: I would like to thank the Prime Minister of Pakistan, Imran Khan Niazi for respecting the sentiments of India. #KartarpurCorridorpic.twitter.com/9TKPZsxKWY
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરતા પહેલા સુલતાનપુર લોધી પહોંચ્યાં હતા. જ્યાં ગુરૂનાનક દેવજીએ ઘણા મહત્વપૂર્ણ વર્ષ પસાર કર્યાં હતા. અહીં પીએમ મોદી તે ગુરૂદ્વારામાં બેર સાહબેમાં દર્શન કર્યાં. જે બેરી વૃક્ષની ગુરૂનાનક દેવજીએ તપસ્યા કરી હતી.