પીએમ મોદીને વિવિધ દેશથી ઘણા બધા પુરસ્કાર મળી ચૂક્યા છે ત્યારે હવે એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં તેમને વધુ એક પુરસ્કારની સન્માનિત કરવામાં આવશે.
પીએમ મોદીને અપાશે CERAWeek વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ નેતૃત્વ પુરસ્કા
પહેલી માર્ચથી શરૂ થશે આ સંમેલન
દર વર્ષે વિશ્વભરના નીતિ નિર્માતાઓ આ કાર્યક્રમમાં પહોંચે છે
પીએમ મોદીને વધુ એક પુરસ્કાર
વડાપ્રધાન મોદીને વાર્ષિક આંતરરાષ્ટ્રીય ઉર્જા સંમેલન દરમિયાન CERAWeek વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ નેતૃત્વ પુરસ્કાર આપવામાં આવશે. પહેલી માર્ચથી 5મી માર્ચ સુધી આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્ય ભાષણ પણ આપશે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓમાં જળવાયુ માટે અમેરિકાના વિશેષ રાષ્ટ્રપતિ દૂત જોન કેરી, બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહઅધ્યસક્ષ તથા સાઉદી અરામકોના CEO અમીન નાસિર પણ સામેલ થશે. નોંધનીય છે કે આ વાર્ષિક સંમેલનમાં દર વર્ષે દુનિયાના ઘણા બધા લીડર્સ, વિશેષજ્ઞ, સરકારી અધિકારી અને નીતિ નિર્માતાઓ હાજરી આપે છે.
મુખ્ય વક્તા તરીકે સંમેલનને કરશે સંબોધિત
IHS Markitના વાઇસ ચેરમેન અને કૉંફરેન્સના અધ્યક્ષ Daniel Yerginએ કહ્યું કે અમે દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ભૂમિકા પર પીએમ મોદીના દ્રષ્ટિકોણ માટે તત્પર છીએ. દેશ દુનિયાની ભાવિ ઉર્જાની જરૂરીયાતોને પૂરી કરવા માટે ભારતના નેતૃત્વનો વિસ્તાર કરવા બદલ અમે તેમને CERAWeek વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ નેતૃત્વ પુરસ્કારથી સન્માનિત કરવા જઈ રહ્યા છે.
ક્લાઇમેટ ચેન્જ સામે લડવા ભારત તરફ જોઈ રહ્યું છે વિશ્વ
તેમણે કહ્યું કે આર્થિક વિકાસ અને ગરીબીને દૂર કરવા માટે ભારત વૈશ્વિક ઉર્જા ને પર્યાવરણના કેન્દ્ર રૂપે બહાર આવ્યું છે. ભારતનું નેતૃત્વ એક સ્થાયી ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે.