પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં 2001માં આવેલા ભૂકંપની વાત કરતા કહ્યું કે તેઓ ત્યારે માત્ર એક નાનકડા કાર્યકર્તા હતા.
PM મોદીએ કરી કચ્છનાં 2001માં આવેલા ભૂકંપની વાત
PMનરેન્દ્ર મોદી જણાવે છે કે તેઓ તે દિવસે દિલ્હીમાં હતા
પ્રધાનમંત્રીએ કહ્યું ત્યારે તો હું માત્ર એક નાનો કાર્યકર્તા હતો
PM મોદીએ કરી કચ્છનાં 2001માં આવેલા ભૂકંપની વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગળગળા થઈને 2001માં કચ્છમાં આવેલા ભૂકંપ વિશે વાત કરતા કહ્યું કે મને યાદ છે ૨૬ જાન્યુઆરીનો એ દિવસ, જ્યારે હું દિલ્હીમાં હતો. ભૂકંપનો અહેસાસ મને દિલ્હીમાં પણ થયો હતો. થોડા જ કલાકોમાં હું દિલ્હીથી અમદાવાદ પહોંચ્યો અને બીજા દિવસે હું કચ્છ પહોંચી ગયો, ત્યારે હું મુખ્યમંત્રી ન હતો પણ એક સાધારણ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા હતો. મને નહોતી ખબર કે હું કેમ અને કેટલા લોકોની મદદ કરી શકીશ પણ મેં નક્કી કર્યું કે હું આ દુઃખની ઘડીમાં તમારા સૌની વચ્ચે રહીશ અને જે પણ શક્ય હશે, હું તમારા દુઃખમાં ભાગીદાર બનવાનો પ્રયાસ કરીશ.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 28, 2022
પ્રધાનમંત્રીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં આયોજિત કાર્યક્રમમાં પોતાના ઉદ્બોધનની શરૂઆત કચ્છી ભાષાથી કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, આજે મન ખૂબ જ સારી ભાવનાઓથી ભરેલું છે. ભૂજિયા ડુંગરમાં સ્મૃતિવન મેમોરિયલ અને અંજારમાં સ્મારકનું લોકાર્પણ કચ્છની અને ગુજરાતની સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે. તેના નિર્માણમાં માત્ર પસીનો જ નહીં પરંતુ કેટલાય પરિવારના આંસુઓ જોડાયેલા છે.
કચ્છમાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજે કચ્છમાં સ્મૃતિ અને સમૃદ્ધિનો દિવસ છે. 4700 કરોડના કામો આજે ગુજરાતમાં થવાના છે. સાથે જ તેમણે જણાવ્યું કે,
વતનમાં વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે ત્યારે આજે ભુજમાં મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આજે ભુજ માટે ખાસ દિવસ છે કારણ કે 2001માં આવેલ ભયાનક ભૂકંપની સ્મૃતિ આજે ફરી જાગ્રત થઈ ગઈ. પીએમ મોદીના હસ્તે સ્મૃતિ વન તથા વીર બાળક સ્મારકનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્મૃતિ વન ભૂકંપને લગતું મ્યુઝિયમ છે જ્યારે વીર બાળક સ્મારકમાં 185 બાળકો તથા 20 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપતું મેમોરિયલ છે, આ બાળકો રેલી દરમિયાન જ ભૂકંપ આવતા દટાઈ ગયા હતા. નોંધનીય છે કે ગઈકાલે પીએમ મોદીએ અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધો હતો તથા અટલ ફૂટ ઓવર બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.