યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી.
PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત
યૂક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર બન્ને નેતાએ ચર્ચા કરી હતી
મોદીએ સંવાદ અને કુટનીતિના માર્ગને અનુસરવાની સલાહ આપી
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બંને નેતાઓએ લાંબા સમયથી યૂક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિને વાતચીત અને કૂટનીતિ દ્વારા યુદ્ધનો રસ્તો શોધવા માટે કહ્યું છે. તેમણે ઝેલેન્સ્કીએ દુશ્મનાવટને વહેલી તકે સમાપ્ત કરવાની અને સંવાદ અને કુટનીતિના માર્ગને અનુસરવાની જરૂરિયાતને પુનરાવર્તિત કરી.
ભારત શાંતિના માર્ગ પર યોગદાન આપવા તૈયાર
ફોન પર વાતચીત દરમિયાન પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સંઘર્ષનો કોઈ સૈન્ય ઉકેલ આવી શકે તેમ નથી. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે ભારત શાંતિના કોઈપણ પ્રયાસમાં યોગદાન આપવા માટે હંમેશા તૈયાર છે. પીએમઓએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
પરમાણું ખતરાની પણ ચર્ચા કરી
પીએમઓએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીતમાં, વડા પ્રધાને યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ રાજ્યોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાના મહત્વને પણ પુનરાવર્તિત કર્યું હતું. પીએમઓએ કહ્યું કે, ઝેલેન્સ્કી સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત યુક્રેન સહિત પરમાણુ મથકોની સુરક્ષાને મહત્વ આપે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પરમાણુ સુવિધાઓના ખતરાથી જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે દૂરગામી અને વિનાશક પરિણામો આવી શકે છે.
પહેલા પણ વાતચીત કરી ચુક્યા છે પીએમ
આ પહેલા માર્ચમાં પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ યૂક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો. સાથે જ પીએમે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે પણ ઝેલેન્સ્કી સાથે ચર્ચા કરી હતી.
ભારત પાસે રાજકીય ટેકો માંગ્યો હતો
આ પહેલા 26 ફેબ્રુઆરીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પીએમ મોદી વચ્ચે યુદ્ધ સંકટને લઈને વાતચીત
થઈ હતી. આ સમયગાળા દરમિયાન ઝેલેન્સ્કીએ ભારતનો રાજકીય ટેકો માંગ્યો હતો. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને યુક્રેનમાં ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ ચાલુ સંઘર્ષને કારણે જાનમાલના નુકસાન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ હિંસા અને સંવાદનો તાત્કાલિક અંત લાવવાની હાકલનો પુનરોચ્ચાર કર્યો હતો અને શાંતિના પ્રયાસોમાં દરેક રીતે ફાળો આપવાની ભારતની ઇચ્છા વ્યક્ત કરી હતી.
યુક્રેનના ચાર પ્રદેશ રશિયામાં ભળ્યા
નોંધપાત્ર વાત એ છે કે, યુક્રેનના ચાર પ્રદેશોને તાજેતરના લોકમત દ્વારા રશિયામાં ભેળવી દેવામાં
આવ્યા છે. સાથે જ આ પછી પુતિને પણ તેને કાયદાકીય રીતે માન્યતા અપાવવાનું શરૂ કરી દીધું છે. સોમવારે રશિયન સંસદના નીચલા ગૃહમાં મર્જર સંબંધિત સંધિઓને બહાલી આપવામાં આવ્યા બાદ ઉપલા ગૃહે પણ આ સંધિઓને મંજૂરી આપી દીધી છે.
રશિયાના રાષ્ટ્રપતિએ કરી હતી જાહેરાત
હકીકતમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગયા મહિને રશિયાએ યુક્રેનના ડોનેત્સ્ક, લુહાન્સ્ક, જેપોરિઝિયા અને ખેરસનમાં જનમત સંગ્રહ યોજ્યો હતો. જનમત સંગ્રહ બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતે આ ચાર પ્રદેશોને રશિયામાં ભેળવવાની જાહેરાત કરી હતી.