પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે (9 માર્ચ)ને મૈત્રી સેતુ પુલનું ઉદ્ધાટન કરશે.
પુલ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ફેની નદી પર બન્યો
પીએમ મૈત્રી પુલનું ઉદ્ધાટન કરશે
આ દ્વિપક્ષીય સંબંધો અને મૈત્રીપૂર્ણ સંબંધો પ્રતીક છે
પુલ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ફેની નદી પર બન્યો
મૈત્રી સતુ પુલ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ફેની નદી પર બન્યો છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ફેની નદી પર બનેલા મૈત્રી પુલનું ઉદ્ધાટન કરશે. આ વાતની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)એ આપી છે. પીએમઓએ કહ્યું છે કે મૈત્રી સેતુ પુલ ભારત અને બાંગ્લાદેશ સંબંધોનું પ્રતીક છે. પીએમ નરેન્દ્ર મોદી આ ઉપરાંત આજના કાર્યક્રમમાં ત્રિપુરામાં અનેક માળખાગત પરિયોજનાઓનું ઉદ્ધાટન પણ કરશે.
આ દ્વિપક્ષીય સંબંધો અને મૈત્રીપૂર્ણ સંબંધો પ્રતીક છે
પ્રધાનમંત્રીના કાર્યાલયના એક નિવેદન અનુસાર મૈત્રી સેતુ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વધેલા દ્વિપક્ષીય સંબંધો અને મૈત્રીપૂર્ણ સંબંધો પ્રતીક છે, જે આગળ પણ જારી રહેશે. પીએમ મોદીના આ કાર્યક્રમ મંગળવારે બપોરે 12 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થશે. ફેની નદી ત્રિપુરા અને બાંગ્લાદેશમાં ભારતીય સીમાની વચ્ચે વહે છે.
પુલ ભારતમાં સબરુમને બાંગ્લાદેશના રામગઢથી જોડશે
પુલ નિર્માણના રાષ્ટ્રીય રાજમાર્ગ અને માળખાગત સ્ટ્રક્ચર વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 133 કરોડ રુપિયાની પરિયોજનાના ખર્ચ પર બન્યા છે. આ પુલની લંબાઈ 1.9 કિલોમીટર છે. આ પુલ ભારતમાં સબરુમને બાંગ્લાદેશના રામગઢથી જોડશે. પીએમમોએ જાણકારી આપી છે કે પીએમ મોદી આજે કાર્યક્રમ દરમિયાન સબરુમમાં એકીકૃત તપાસ ચૌકી સ્થાપિત કરવા માટે પણ આધારશિલા રાખશે. પીએમઓએ કહ્યું છે કે આ બન્ને દેશોની વચ્ચે માલ અને પ્રવાસની આવન જાવનને સરળ બનાવવામાં મદદ કરશે.
ભારત અને બાંગ્લાદેશના પ્રવાસીઓ કોઈ રોકટોક વગર અવરજવર કરી શકશે
ઉત્તર પૂર્વના રાજ્યોના ઉત્પાદન માટે નવા બજારના અવસર પ્રદાન થશે અને ભારત અને બાંગ્લાદેશના પ્રવાસીઓ કોઈ રોકટોક વગર અવરજવર કરી શકશે. આ પરિયોજના ભારતના ભૂમિ બંદરગાહ પ્રાધિકરણ દ્વારા લગભગ 232 કરોડ રુપિયાના અંદાજીત ખર્ચ પર બનાવવામાં આવી છે. આ ઉપરાંત પીએમ મોદી અગરતલા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત એકીકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે.