વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે ભારતીય ઉદ્યોગ સંઘ (CII) ના વાર્ષિક સત્રને સંબોધન કરતાં કહ્યું કે કોરોનાવાયરસ સામે લડવા કડક પગલા લેવા સાથે આપણે અર્થવ્યવસ્થાને આગળ વધારવી પડશે. મને ભારતની ક્ષમતા, પ્રતિભા અને ટેકનીક અને નવીનતા પર વિશ્વાસ છે. મને ખેડુતો, એમએસએમઇ અને ઉદ્યોગ દિગ્ગજો પર વિશ્વાસ છે. તેથી, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે દેશ વિકાસના માર્ગ પર પાછો આવશે.
CIIના વાર્ષિક સંબોધનમાં PM Modiએ કહી આ મહત્વની વાત
PM Modiએ આત્મનિર્ભર ભારત માટે '5 આઈ'ને ગણાવ્યા મુખ્ય
અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે જરૂરી છે આ પગલાં
જાણી લો PM મોદીના '5 આઈ' શું છે?
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતને ઝડપી વિકાસના માર્ગ પર પાછા લાવવા માટે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા 5 બાબતો ખૂબ મહત્વની છે. ઉદ્દેશ, સમાવેશ, રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા. ( Intent, Inclusion, Investment, Infrastructure અને Innovation)હાલમાં જ લીધેલા મોટા નિર્ણયોમાં આ બધાની ઝલક મળશે. અમારા માટે સુધારો એ રેન્ડમ અથવા છૂટાછવાયા નિર્ણયો નથી. અમારા માટે સુધારણા પ્રણાલીગત, આયોજિત, એકીકૃત, આંતર-કનેક્ટેડ અને ભાવિ પ્રક્રિયા છે. અમારા માટે સુધારાઓનો અર્થ છે નિર્ણયો લેવાની હિંમત રાખવી અને તેમને તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવું.
Intent, Inclusion, Investment, Infrastructure and Innovation— these five things are important to speed up India's development and make it 'atmanirbhar'. You will get a glimpse of these in the bold decisions recently taken by us: PM Narendra Modi pic.twitter.com/vcZpx5BcEl
પ્રધાનમંત્રી મોદીનું આ સંબોધન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે લૉકડાઉનમાં પાબંધી સિવાય ઢીલ પણ આપવામાં આવી રહી છે અને કંપનીઓ ફરી શરૂ થઈ છે અને કારખાના ખૂલી ચૂક્યા છે. કોરોના વાયરસ મહામારીની સ્થિતિ માટે કેન્દ્ર સરકારે 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગૂ કર્યું હતું અને તેને 4 ચરણમાં 31 મે સુધી ચાલ્યું.
વીડિયો કોન્ફરન્સિંગથી થનારો CIIની સ્થાપનાના 125મા વર્ષની ઉજવણીનો અવસર છે. ઉદ્યોગ સંગઠનની સ્થાપના 1895માં થઈ હતી. સીઆઈઆઈના 125મા વાર્ષિક સત્રની મુખ્ય બાબત ગેટિંગ ગ્રોથ બેક એટલે કે વૃદ્ધિના પથ પર ફરી પાછા ફરવું એ છે.
The country now needs to manufacture products which are 'Made in India' but are 'Made for the World': Prime Minister Modi pic.twitter.com/xeoETSxiUF