'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘણા લોકોએ સવાલ પૂછ્યા છે કે તેમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે.
પીએમ નરેન્દ્ર મોદીની આજે 'મન કી બાત'
ચિત્તાને લઈને ઘણી વાતો કરી અને લોકોને કામ સોપ્યું
ચિત્તાના આ અભિયાનનું નામ શું રાખવું જોઈએ? :પીએમ
'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘણા લોકોએ સવાલ પૂછ્યા છે કે તેમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે. "ચિત્તાઓ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તે જોશે કે અહીંના વાતાવરણમાં ચિત્તા કેટલા પ્રમાણમાં ભળી શકે છે. ત્યારબાદ જ સામાન્ય લોકોને ચિત્તાને જોવાની તક મળશે.
પીએમએ નાગરિકોને અપીલ કરી
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું તમને બધાને કંઈક કામ સોંપી રહ્યો છું, આ માટે MYGOVના એક પ્લેટફોર્મ પર એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે, જેમાં હું લોકોને કેટલીક વાતો શેર કરવાનો આગ્રહ કરું છું. પીએમે લોકોને પૂછ્યું કે ચિત્તા વિશે આપણે જે અભિયાન ચલાવી રહ્યા છીએ, આખરે તે અભિયાનનું નામ શું હોવું જોઈએ? "જો આ નામકરણ પરંપરાગત હોય તો તે મહાન રહેશે. કારણ કે, આપણા સમાજ અને સંસ્કૃતિ, પરંપરા અને વારસા સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ આપણને સરળતાથી તેની તરફ આકર્ષિત કરી લે છે.
A lot of suggestions received for this month's #MannKiBaat are about the cheetahs. People from across the country have written to the PM about it. pic.twitter.com/wH4TLi2bGX
ચિત્તાઓનું નામ શું રાખવામાં આવે ?
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ચિત્તાના નામકરણ અંગે પણ સવાલ કર્યા. મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, શું આપણે આ બધા ચિત્તાના નામકરણ વિશે વિચારી શકીએ કે દરેક ચિત્તાને ક્યાં નામથી બોલાવી શકીએ છીએ? તેમણે કહ્યું, "હું તમને બધાને અપીલ કરું છું કે તમે આ સ્પર્ધામાં જરૂર ભાગ લો, કોણ જાણે તમને ઇનામના રૂપમાં ચિત્તાને જોવાની પ્રથમ તક મળી જાય.
ચિત્તા વિષે ઘણા પ્રશ્નો મળ્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "મને ઘણા લોકોના પત્રો મળ્યા છે. આ પત્રો દેશભરના છે. આવામાં ભારતમાં ચિત્તાના આગમન અંગે લોકોએ ખુશી વ્યક્ત કરી છે. તે ભારતનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.