આજથી છઠ્ઠા તબક્કાની યોજાનારી ચૂંટણી માટે મતદાન માટે ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનો પ્રારંભ યુપીના ભદોહીથી કર્યો છે. પીએમ મોદીએ ભદોહીના અલમઉના કંઠીપુરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું. પીએમ મોદીએ ભદોહી પહોંચીને સૌથી પહેલા મંચ પરથી બધાનું અભિવાદન કર્યું.
પીએમ મોદીએ મુસ્લિમ મતદાતાઓને ધ્યાનમાં રાખતાં જણાવ્યું કે આજે આ મંચ પરથી કહ્યું છે કે આજ દુનિયાના કોઇપણ મુસ્લિમ દેશમાં ત્રણ તલાકની પ્રથા નથી. અમે પણ ભારતની મુસ્લિમ મહિલાઓને આ અધિકાર આપવા ઇચ્છીએ છીએ જે દુનિયાના મુસ્લિમ દેશોને મળી રહ્યો છે. પીએમ મોદીએ સપા-બસપા ગઠબંધનને લઇને આકરા પ્રહારકરતાં કહ્યું કે જ્યારે બુઆ-બબુઆ એક બીજાના કટ્ટર દુશ્મન હતા ત્યારે આ સમય દરમિયાન આ જિલ્લાનું નામ સંત રવિદાસ રાખવામાં આવ્યું હતુ.
પરંતુ બુઆ-બબુઆએ પોતાના અહંકારને લઇને આ જિલ્લાનું નામ બદલી નાંખ્યું. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં આઝાદી બાદ ચાર જેવા રાજકીય કલ્ચર ચાલી રહ્યું છે, પહેલું નામપંથી, બીજુ વામપંથી, ત્રીજું દમનપંથી, ચોથી વિકાસપંથી.
પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં કોઇ આતંકી હુમલો થાય છે તો આપણને દુઃખ થાય છે. પરંતુ જવાબી કાર્યવાહીમાં સર્જિકલ સ્ટ્રાઇક થાય છે તો આપણને ગર્વ થાય છે. પીએમ મોદીએ ભદોહી ખાતે રેલીને સંબોધન કરતાં કહ્યું કે અમે સાઉદી અરબમાં બંધ ભારતીય કેદીઓને છોડાવ્યાં. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવ્યો.