આજે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ છે. સવારે 11 વાગ્યે તેઓ રાજભવનથી અમદાવાદ એરપોર્ટ પહોચશે.
જ્યાંથી પીએમ મોદી 11.30 વાગ્યે અમદાવાદથી સુરત જવા રવાના થશે. જ્યારે બપોરે 12.25 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોચશે.
સુરતમાં તેઓ L&T કંપનીના કાર્યક્રમમાં હાજરી આપશે અને L&Tએ બનાવેલ K-9 વજ્ર ટેંક રાષ્ટ્રને અર્પણ કરશે. સુરતથી હેલીકોપ્ટર મારફતે સેલવાસ જવા રવાના થશે અને સેલવાસના સાયલીમાં જનસભાને સંબોધિત કરશે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે. પીએમ મોદી એલ એન્ડ ટી કંપનીના કાર્યક્રમમાં હાજરી આપશે. એલ એન્ડ ટી કંપની દ્વારા બનાવાયેલી ટેન્કને વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે.
મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ K-9 વજ્ર બનાવાઈ છે. કંપની દ્વારા શરૂઆતના તબક્કે કુલ 100 ટેન્ક બનાવાશે. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ પીએમ મોદીના હસ્તે 20 ટેન્ક આર્મીને સોંપાય તેવી સંભાવના છે.