PM મોદીએ કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે આજે સાંજે 4.30 વાગે એક બેઠક બોલાવી છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે કેસ સતત વધી રહ્યા છે અને સ્થિતિ ખરાબ બનતી જાય છે.
PM મોદીએ બોલાવી કોવિડ 19 સમીક્ષા બેઠક
ગઈકાલે એક દિવસમાં 1.5 લાખ કેસ કોરોનાનાં આવ્યા
નવી જાહેરાતો થાય તેવી શક્યતા
કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે
આજે કોરોનની સ્થિતિ સામે સમીક્ષા માટે PM મોદી દ્વારા એક મિટિંગ બોલાવવમાં આવી છે. કોરોનાનાં આજે 1.5 લાખ કેસ આવ્યા હતા. જેણે પગલે હવે સમય આવી ગયો છે કે તેની ચર્ચા કરવામાં આવે અથવા તેની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવે.
આદેશો છૂટે તેવી શક્યતા
સરકાર દ્વારા હવે વધતાં કેસ સામે કોઈ પગલાં લેવાય અથવા PM મોદી દ્વારા કોઈ મોટી જાહેરાત થશે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે.
PM Modi to chair a meeting to review the COVID-19 situation in the country at 4:30pm today: GoI sources
એક દિવસમાં 13 ટકા કેસ વધ્યા દેશમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.5 લાખથી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. રવિવારે 1,59,632 કેસ નોંધાયા હતા, જે શનિવાર કરતા 13 ટકા વધુ છે.
એવા સમયે સાંજે પ્રધાનમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી મિટિંગમાં નવી જાહેરાતો તેવી શક્યતા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ: ભારતમાં 24 કલાકમાં 1,59,632 નવા કેસ નોંધાયા હતા તો સામે 40,863 દર્દીઓ સાજા થયા હતા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 327 દર્દીઓના મોત થયા હતા. દિવસે દિવસે વધી રહેલા આ આંકડા ફરી ચિંતાનો વિષય બન્યા છે.
સૌથી વધુ કેસ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે.
દેશમાં પાંચ લાખ 90 હજારથી વધુ એક્ટિવ કેસ
છેલ્લા 24 કલાકમાં 1,59,632 કોરોના કેસ સામે આવ્યા બાદ દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 5,90,611 થઈ ગઈ છે. તો સામે છેલ્લા 24 કલાકમાં 327 મૃત્યુ નોંધાયા છે.
ભારતમાં આ સાથે ઓમિક્રોન કેસની સંખ્યા 3623 પહોંચી ગઈ છે. જેમાંથી 1409 દર્દીઓ રિકવર થઈ ગયા છે. ઓમીક્રોનનાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1009 કેસ છે જ્યારે દિલ્હી બીજા ક્રમે 513 કેસ સાથે છે.