દેશભરમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે અને તેને લઈને તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આજે PM મોદી દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે અને તેમાં કોરોનાની અને વેક્સીનેશન અભિયાનની જાણકારી મેળવશે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર આ બેઠક બપોરે 4 વાગે યોજાશે.
PM મોદી દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે
બેઠક બપોરે 4 વાગે યોજાશેઃ પીએમઓ
પીએમ મોદી કોરોનાની સ્થિતિ અને વેક્સીનેશન અભિયાનને લઈને ચર્ચા કરશે
PM મોદી આજે બપોરે 4 વાગે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સીનનેશનને લઈને જાણકારી મેળવશે. ભારતમાં 16 જાન્યુઆરીથી શરૂ થનારા વેક્સીનેશનને લઈને માહોલ ગરમાયું છે અને સાથે જ અભિયાનની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં ભારતના ઔષધિ નિયામક દ્વારા સ્વદેશમાં વિકસિત વેક્સિનને દેશમાં સીમિત ઈમરજન્સીના ઉપયોગને મંજૂરી મળી છે. આ સાથે પીએમનો આ મુદ્દે દરેક રાજ્યોના સીએમ સાથે પહેલો સંવાદ હશે. અગાઉ તેઓએ કોરોના સંક્રમણ કાળ સમયે પણ અનેક બેઠક થઈ ચૂકી છે.
At 4 PM on Monday 11th January, PM @narendramodi will interact with Chief Ministers of all states via video conferencing. They will discuss the COVID-19 situation and the vaccination rollout.
શુક્રવારે દેશમાં કોવિશિલ્ડ અને કોવેક્સીનને મંજૂરી અપાઈ
ભારતમાં કોરોનાના સંક્રમણને લઈને અભિયાન ગરમાયુ છે. આ સંદર્ભે શુક્રવારે દેશમાં કોવિશિલ્ડ અને કોવેક્સીનને મંજૂરી અપાઈ છે. રવિવારે ભારતના ઔષધિ નયિામકની તરફથી બંને વેક્સિનને મંજૂરી અપાઈ છે. કોરોના મહામારીની વિરુદ્ધમાં ભારતની જંગ નિર્ણાયક રહી છે અને સાથે જ ભારતને પણ બળ મળી શકે છે.
શનિવારે પણ PM મોદીએ કરી હતી ખાસ બેઠક
આ પહેલાં PM મોદી શનિવારે એક ઉચ્ચ સ્તરની બેઠક કરી ચૂકયા છે. પીએમ મોદીએ શનિવારે એક ઉચ્ચ સ્તરની બેઠક કરીને દેશમાં કોરોનાની હાલની સ્થિતિ અને વેક્સીનેશન અભિયાનની જાણકારી મેળવી લીધી છે. તેમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રના પ્રધાન સચિવ અને સ્વાસ્થ્ય સચિવ સહિત અને અધિકારી હાજર રહ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહી છે આ વાત
સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે પ્રધાનમંત્રીએ કોરોનાના વિશેષ પાસાની સમીક્ષા કરી છે. આવનારા તહેવારો લોહડી, ઉત્તરાયણ, પોંગલ, માઘ બિહૂને ધ્યાનમાં રાખીને કોરોના વેક્સીનેશનને 16 જાન્યુઆરી 2021થી શરૂ કરવાનું નક્કી કરાયું છે.
આ લોકોને અપાશે વેક્સીનેશનમાં પ્રાથમિકતા
કોરોના વેક્સીનેશનના અભિયાનમાં લગભગ 3 કરોડ સ્વાસ્થ્ય કર્મીઓ અને અગ્રિમ મોરચા પર કામ કરી રહેલા લોકોને પ્રાથમિકતા અપાશે. નિવેદનમાં કહેવાયું છે કે સૌ પહેલા હેલ્થ વર્કર્સની સાથે 50 વર્ષથી ઉપરના લગભગ 27 કરોડ વ્યક્તિઓ અને અન્ય બીમારીથી પીડિત 50 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓને વેક્સિન અપાશે.