વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઇની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં અંદાજે 41 હજાર કરોડની આવાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલા પરિયોજનાઓનો શુભારંભ કરાવશે. પીએમ મોદીના હસ્તે રાજભવન ખાતે એક પુસ્તક 'ટાઇમલેસ લક્ષ્મણ'નું વિમોચન કરવામાં આવશે.
ત્યાર બાદ પીએમ મોદી ઠાણે જિલ્લામાં ઠાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો રેલમાર્ગ-5 અને દહીંસર-મીરા ભયંદર મેટ્રો રેલમાર્ગ-9નો શિલાન્યાસ કરશે.
આ દરમિયાન પીએમ મોદી નવી મુંબઇ શહેરી નિયોજન પ્રાધિકરણ અને મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમની આવાસીય યોજનાઓનો પ્રારંભ કરાવશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 18 હજાર કરોડ રૂપિયાથી 89 771 આવાસોનું નિર્માણ કરવામાં આવશે.
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુના જશે. જ્યાં તેઓ હિંજેવાડી અને શિવાજીનગરની વચ્ચેની ત્રીજી મેટ્રો લાઇનનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુનાથી જ રાત્રે સીધા દિલ્હી જવા પરત ફરશે. ઉલ્લેખનીય છે કે મુંબઇ મહાનગર પ્રદેશમાં મીરા-ભયંદર એકમાત્ર મહાનગરપાલિકા છે જ્યાં ભાજપની સત્તા છે.
આ પરિસરમાં આઠ લાખ 15 હજારથી વધારે લોકો રહે છે. આ વિસ્તારના વધારે લોકો નોકરી માટે અહીં આવે છે.