PM નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે PM કિસાન યોજનાના સંદર્ભે આગામી હપ્તાને લઈને 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18000 કરોડ રૂપિયા રિલીઝ કરશે. ઉપરાંત એ દિવસે 6 અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથે વીડિયો કૉન્ફન્સથી વાત પણ કરશે.
ફરીવાર ખેડૂતો સાથે સંવાદ કરશે પીએમ મોદી
દેશના ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરાશે
છ રાજ્યોના ખેડૂતો સાથે કિસાન સંવાદનો કાર્યક્રમ
25 ડિસેમ્બરે ફરી પીએમ મોદીનો સંવાદ
દેશમાં કૃષિ કાયદાઓને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે પીએમ મોદી 25મી ડિસેમ્બરના રોજ પીએમ કિસાન સમ્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં નાણા ટ્રાન્સફર કરશે. પીએમ મોદીના કાર્યાલય તરફથી જે જાણકારી આપવામાં આવી છે તે અનુસાર પીએમ મોદી વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં નવ કરોડ લાભાર્થીઓ પરિવારોને 18 હજાર કરોડ રૂપિયાની રકમ મોકલશે.
કિસાન સંવાદનો પણ કાર્યક્રમ
નોંધનીય છે કે આ સિવાય પીએમ મોદી દેશના ખેડૂતો સાથે ચર્ચા પણ કરવાના છે. કાર્યક્રમ અનુસાર દેશના છ વિભિન્ન રાજ્યોના ખેડૂતો સાથે પીએમ મોદી સીધો સંવાદ કરશે. પીએમ મોદી દ્વારા શરુ કરવામાં આવેલ યોજનાનો ઘણા બધા ખેડૂતો હાલમાં લાભ લઇ રહ્યા છે ત્યારે આ ખેડૂતો પોતાનો અનુભવ પણ પીએમ મોદીને જણાવશે અને આ યોજનામાં આગળ હવે શું સારા કામ કરી શકાય તે માટે પણ ખેડૂતો પાસે ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે સાથે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ સામેલ થવાના છે.
એક તરફ જ્યાં ઘણા બધા ખેડૂતો આજે પણ દિલ્હીની આસપાસના વિસ્તારમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં પીએમ મોદી ફરી એકવાર એમએસપી ને ખેડૂતોના અન્ય પ્રશ્નો અંગે નિવેદન આપે તેવી શકયતા છે.
પૂર્વ પીએમ વાજપેયીની જન્મતિથી
નવા કૃષિ કાયદાના વિરોધ વચ્ચે જ્યાં ખેડૂતો ગુસ્સે લાલચોળ થયેલા છે ત્યારે પીએમ મોદીએ ફરીથી ખેડૂતો સાથે ચર્ચા કરવાની તૈયારી કરી છે. પીએમ મોદી દેશના પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મતિથી એટલે કે 25મી ડિસેમ્બરના રોજ દેશના અન્નદાતાઓ સાથે ચર્ચા કરશે તેવી જાણકારી ભારતીય જનતા પાર્ટી દ્વારા થોડા દિવસ પહેલા જ આપવામાં આવી હતી. પીએમ મોદીના આ સંવાદને લઈને ઉત્તર પ્રદેશમાં પૂરજોશમાં તૈયારીઓ શનિવારથી જ ચાલુ કરવામાં આવી હતી જેમાં રાજ્યનાં 2500 સ્થળોથી ખેડૂતો સામેલ થશે.
પીએમ મોદીના આ કાર્યક્રમને લઈને ઉત્તર પ્રદેશ સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમને લઈને મોટી બેઠકો પણ કરી છે જ્યારે રાધા મોહન સિંહ પણ આ કાર્યક્રમ માટે એક્ટિવ થયા છે. રાધા મોહન સિંહે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ગરીબો અને ખેડૂતોના હિત અને કલ્યાણને સમર્પિત છે. તેમણે વધુમાં કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ દ્વારા કૃષિ કાયદા પર જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે.
આજે દેશ ઉજવી રહ્યો છે ખેડૂત દિવસ
નોંધનીય છે કે દિલ્હી પોલીસનું કહેવું છે કે બોર્ડર પર ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને પરિસ્થિતિમાં તણાવ છે. બીજી તરફ સરકાર પણ પ્રયાસો કરી રહી છે અને નરેન્દ્ર સિંહ તોમર પણ કહી રહ્યા છે કે આશા છે કે ટૂંક સમયમાં જ સમસ્યાનું સમાધાન આવી જશે. ખેડૂતો સંગઠનો આજે ખેડૂત દિવસના દિવસે આંદોલનને ધાર આપવા માંગે છે ત્યારે કેટલાક અગ્રણીઓ દ્વારા અપીલ પણ કરવામાં આવી કે ખેડૂતોના સમર્થનમાં એક સમયનું ભોજન કરવામાં આવે નહીં.
ખેડૂતોએ લીધો મોટો નિર્ણય
સંયુક્ત કિસાન મોરચાએ પાંચ સદસ્યોની કમિટી બનાવી છે અને આ કમિટીમાં પ્રેમ સિંહ ભંગૂ, હરેન્દ્ર સિંહ અને કુલદીપ સિંઘને સામેલ કરવામાં આવ્યા છે. ખેડૂત નેતાઓ દ્વારા કમિટી દ્વારા બનાવાવનો ઉદ્દેશ કે છે કે સરકાર સાથે વાત કરવાની છે કે નહીં. આ કમીટી દ્વારા આંદોલનને લઈને આગામી સમયમાં રૂપરેખા નક્કી કરવામાં આવશે.