પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વામપંથી રાજનીતિની નર્સરી ગણાતા જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય(JNU) કેમ્પસમાં વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમા પંડિત જવાહરલાલ નહેરૂની પ્રતિમાથી પણ ત્રણ ફૂટ ઉંચી બનાવવામાં આવી છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પ્રતિમા રાષ્ટ્ર પ્રત્યે પ્રમે શિખવશે.
PM મોદીએ JNUમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પ્રતિમા રાષ્ટ્ર પ્રત્યે પ્રમે શિખવશે
JNU કેમ્પસમાં જવાહર નેહરૂ બાદ આ બીજી પ્રતિમા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી(JNU)માં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. સ્વામી વિવેકાનંદની પ્રતિમાના અનાવરણ દરમિયાન યુવાનોએ વંદે માતરમ, ભારત માતાકી જય, જય શ્રી રામ... ના નારા લગાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાથ જોડીને તમામનું અભિવાદન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં યુવાનો પાસે સ્વામી વિવેકાનંદ અમર રહેના નારા લગાવ્યા.
પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રતિમા આપણને રાષ્ટ્ર પ્રત્યે અગાધ સમર્પણ શિખવે, જે સ્વામીજીના જીવનનો સર્વોચ્ચ સંદેશ છે. આ માત્ર એક પ્રતિમા નથી પરંતુ તે વિચારોની ઉંચાઇનું પ્રતિક છે જેના દમ પર એક સંન્યાસીએ સમગ્ર દુનિયાને ભારતનો પરિચય આપ્યો. તેમની પાસે વેદાંત અગાધ જ્ઞાન હતું. તેમની પાસે એક વિઝન હતું. તેઓ જાણતા હતા કે ભારત દુનિયાને શું આપી શકે છે. તેઓ ભારતના વિશ્વ બંધુત્વના સંદેશને લઇને દુનિયામાં ગયા. ભારતના વિચારો, પરંપરાઓને તેમણે દુનિયાની સામે ગૌરવપૂર્ણ રીતે રાખી.
Delhi: Prime Minister Narendra Modi unveils a statue of Swami Vivekananda at the JNU campus, via video conferencing pic.twitter.com/awuG4x4Q6c
વિપુલ પટેલની પહેલ પર 5 વર્ષ પહેલા સરકારે આ પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો હતો
સ્વામી વિવેકાનંદના વિચારોને દુનિયાભરમાં ફેલાવવાની મુહિમમાં જોડાયેલા વિપુલ પટેલની પહેલ પર 5 વર્ષ પહેલા સરકારે જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયના કેમ્પસની પાસે સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો હતો.
આ પ્રતિમાનું નિર્માણ જાણીતા મૂર્તિશિલ્પી નરેશ કુમાવતે કર્યું છે. પ્રતિમા તૈયાર કરવામાં 7 મહિના લાગ્યા. આ 7 મહિનાઓ દરમિયાન સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વની ઝીણવટ બતાવવા અને તૈયાર કરવામાં નરેશ કુમાવતની મદદ તેમના પિતા મૂર્તિકાર માતૂરામ કુમાવતે પણ કરી હતી.
જણાવી દઇએ કે, પ્રતિમાની ઉંચાઇ અંદાજિત 11.5 ફૂટ છે. આ પ્રતિમાને સ્થાપિત કરવા માટે 3 ફૂટ ઉંચા ચબૂતરા બનાવવામાં આવ્યા છે. JNU કેમ્પસમાં જવાહર નેહરૂ બાદ બીજી પ્રતિમા છે.
વિપુલ પટેલ ગુજરાતના દરેક જિલ્લામાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરશે
અમેરિકામાં રહેતા વિપુલ પટેલે 5 વર્ષ પહેલા 2015માં JNUમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા લગાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ વિપુલ પટેલ સ્પેશિયલ અમેરિકાથી ભારત આવ્યા છે. તેમણે એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, કેટલાક દેશોમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા અને તેમના વિચાર સ્થાપિત અને પ્રસારિત કરવાનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતના દરેક જિલ્લામાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરવાના તેમના પ્રસ્તાવ પર હવે ગુજરાત સરકાર ખુદ અમલ કરી રહી છે.