વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદી સિયોલ પહોંચ્યા અને ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરી. સિયોલમાં પીએમ મોદીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા.
વડાપ્રધાન મોદીના હસ્તે સિયોલમાં મહાત્મા ગાંધીની મૂર્તિનું અનાવરણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે 100 વર્ષમાં મહાત્મા ગાંધી રૂપે માનવ જાતિને સૌથી મોટી ભેટ મળી છે.
પીએમ મોદીએ મહાત્મા ગાંધીને માનવતાના મસીહા ગણાવતા કહ્યું કે આતંક અને પર્યાવરણ બે મોટા સંકટ વિશ્વ સામે છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદે માનવતાને લલકાર્યો છે. ગાંધીજીના ઉપદેશથી બંને સમસ્યાનું નિરાકારણ આવી શકે છે.
ગાંધીજીના ઉપદેશોથી આ સમસ્યાનો સામનો કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે આવતીકાલે પીએમ મોદીને સિયોલ શાંતિ સમ્માનથી પણ સમ્માનિત કરવામાં આવશે.