આપણે ગ્લોબલ ઇન્ડેક્સમાં 46માં સ્થાન પર છીએ : PM મોદી
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા પરિસર (New Vanijya Bhawan) 'ન્યુ વાણિજ્ય ભવન' અને NIRYAT પોર્ટલ ( niryat portal launch) નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, - "સરકારની યોજનાઓ વર્ષો સુધી લટકી ના રહે પરંતુ તે યોજનાઓ સમયસર પૂર્ણ થવી જોઈએ, સરકારની યોજનાઓ તેમના લક્ષ્ય સુધી પહોંચે, તો જ દેશના કરદાતાઓનું સન્માન થાય. હવે અમારી પાસે પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના રૂપમાં એક આધુનિક પ્લેટફોર્મ પણ છે.'
दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने वाणिज्य और उद्योग मंत्रालय के नए परिसर 'वाणिज्य भवन' और NIRYAT पोर्टल का उद्घाटन किया। इस मौके पर केंद्रीय वाणिज्य मंत्री पीयूष गोयल भी मौजूद रहे। pic.twitter.com/cGXkuWm19g
PM મોદીએ વધુમાં કહ્યું કે, "ગયા વર્ષે દેશે નક્કી કર્યું હતું કે અનેક પડકાર હોવા છતાં 400 બિલિયન ડોલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાના વેપારી માલના નિકાસનો પડાવ પાર કરવાનો છે. અમે આને પણ પાર કરી 418 બિલિયન ડૉલર એટલે કે 31 લાખ કરોડ રૂપિયાની નિકાસનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ગયા વર્ષે ઐતિહાસિક વૈશ્વિક વિક્ષેપ હોવા છતાં ભારતે કુલ 670 બિલિયન ડૉલર એટલે કે અંદાજે 50 લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી હતી.'
पिछले साल देश ने तय किया था कि हर चुनौती के बावजूद 400 बिलियन डॉलर यानि 30 लाख करोड़ रुपए के मर्चेंडाइज एक्सपोर्ट का पड़ाव पार करना है। हमने इसको भी पार करते हुए 418 बिलियन डॉलर यानि 31 लाख करोड़ रुपए के एक्सपोर्ट का नया रिकॉर्ड बनाया है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/wB6JadI2LM
આ સિવાય વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'વાણિજ્ય ભવન હાલના સમયગાળામાં કોમર્સના ક્ષેત્રમાં આપણી ઉપલબ્ધિઓનું પણ એક પ્રતિક છે. મને યાદ છે કે શિલાન્યાસના સમયે મે જાતે ઇનોવેશન અને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આજે આપણે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 46માં સ્થાન પર છીએ અને સતત સુધારો કરી રહ્યાં છીએ.'
સરકાર whole of government અભિગમ સાથે કામ કરી રહી છે
PM મોદીએ કહ્યું કે આજે સરકારના દરેક મંત્રાલય, દરેક વિભાગ 'સમગ્ર સરકાર' અભિગમ સાથે નિકાસ વધારવાને પ્રાથમિકતા આપી રહ્યાં છે. MSME મંત્રાલય હોય કે વિદેશ મંત્રાલય હોય, કૃષિ કે વાણિજ્ય મંત્રાલય હોય, બધા એક સમાન લક્ષ્ય માટે સમાન પ્રયાસો કરી રહ્યાં છે.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने वाणिज्य भवन का निरीक्षण किया और पौधा रोपण किया।
PM મોદીએ કહ્યું કે, 'વોકલ ફોર લોકલ કેમ્પેઈન', 'વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ' યોજના દ્વારા સ્થાનિક ઉત્પાદનો પર સરકારના ભારથી પણ નિકાસ વધારવામાં મદદ મળી છે. હવે વિશ્વના નવા-નવા દેશોમાં અમારા અનેક પ્રોડક્ટ્સ પ્રથમ વખત નિકાસ કરવામાં આવી રહ્યાં છે.