પુલવામા હુમલાને લઈને પાકિસ્તાન સાંસદમાં ઈમરાનના મંત્રીના કબૂલનામા પર પહેલી વાર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. પીએમએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યારે આપણા દેશમાં જવાનો શહીદ થયા તે સમયે કેટલાક લોકો રાજનીતિમાં લાગેલા હતા. આવા લોકોને દેશ ભૂલી નહીં શકે.
આ લોકોના ખુલ્લા પડ્યા છે- પીએમ
દેશ વિરોધી તાકતોના હાથમાં રમીને ન તમે દેશનું હિત કરી શકશો ન પોતાના પક્ષનું - પીએમ
આ લોકોના સારા ચહેરા લોકોની સામે આવ્યા - પીએમ
પીએમએ કહ્યું કે આ સમયે તમામ આરોપોને જીલી રહ્યા હતા. ગંદી વાતો સાંભળી, મારા દિલ પર ઉંડો ઘા હતો. પરંતુ છેલ્લા દિવસોમાં પડોશી દેશોથી જે રીતે સમાચાર આવ્યા છે જે તેમણે સ્વીકાર્યુ છે. આ લોકોના ખુલ્લા પડ્યા છે.
પીએમે કહ્યું કે જે પ્રકારે ત્યાંની સાંસદમાં સત્ય સ્વીકારવામાં આવ્યું છે તેનાથી આ લોકોના સારા ચહેરા લોકોની સામે આવ્યા છે. પોતાના રાજનીતિક સ્વાર્થ માટે આ લોકો કઈ હદે જઈ શકે છે. પુલવામા હુમલા બાદ કરવામાં આવેલી રાજનીતિ તેનું મોટું ઉદાહરણ છે.
पिछले दिनों पड़ोसी देश से जो खबरें आईं हैं,
जिस प्रकार वहां की संसद में सत्य स्वीकारा गया है,
उसने इन लोगों के असली चेहरों को देश के सामने ला दिया है।
अपने राजनीतिक स्वार्थ के लिए, ये लोग किस हद तक जा सकते हैं,
पुलवामा हमले के बाद की गई राजनीति, इसका बड़ा उदाहरण है: PM
નરેન્દ્ર મોદીએ સરકાર પટેલની દુહાઈ આપતા રાજનીતિક દળોને કહ્યું કે હું એવા રાજનીતિક દળોને આગ્રબ કરુ છુ કે દેશની સુરક્ષાના હિતોમાં આપણા સુરક્ષાદળોના મનોબળ માટે મહેરબાની કરીને આવી રાજનીતિ ન કરો. આવી બાબતોથી બચો. પોતાના સ્વાર્થ માટે જાણે અજાણે પોતાના દેશ વિરોધી તાકતોના હાથમાં રમીને ન તમે દેશનું હિત કરી શકશો ન પોતાના પક્ષનું.
ત્યારે ફ્રાન્સ વિવાદ બાદ પીએમ મોદીએ કેટલાક દેશો તરફ ઈશારો કરતા કહ્યું કે પ્રગતિના આ પ્રયાસોની વચ્ચે અનેક પડકારો પણ છે. જેનો સામનો આજે ભારત અને આખુ વિશ્વ કરી રહ્યું છે. ગત કેટલાક દિવસોમાં દુનિયામાં જે સ્થિતિ બની છે જે રીતે કેટલાક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લીને સામે આવ્યા છે તે આજે વૈશ્વિક ચિંતાનો વિષય છે.
પીએમએ કહ્યું કે આજે જે માહોલમાં દુનિયાના તમામ દેશોએ, તમામ સરકારોએ, તમામ પંથોએ આતંકવાદની વિરુદ્ધ એક થવાની ઘણી જરુર છે. શાંતિ ભાઈચારા અને પરસ્પર આદરનો ભાવ જ માનવતાની સાચી ઓળખ છે. આતંકવાદ - હિંસાથી ક્યારય પણ કોઈનું કલ્યાણ ન થઈ શકે.
પાકિસ્તાને કબુલી આ વાત...
પાકિસ્તાન ની ઇમરાન ખાન સરકારના પ્રધાન ફવાદ ચૌધરીએ ગુરુવારે સ્વીકાર્યું છે કે પુલવામામાં CRPF ના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાન નો હાથ હતો. તેમણે કહ્યું કે પુલવામા હુમલો એ પાકિસ્તાન ની સફળતા છે. ફવાદ ચૌધરીએ પુલવામા હુમલાનું શ્રેય ઇમરાન ખાન અને તેમની પાર્ટી PTI તેમણે કહ્યું કે પુલવામા હુમલો ઇમરાન ખાન માટે એક સિદ્ધિ છે. જોકે તેઓ નિવેદનથી ફરી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીર ના પુલવામામાં CRPF ના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. એક આત્મઘાતી બોમ્બરએ વિસ્ફોટકોથી ભરેલી કારને CRPF ના કાફલામાં ધકેલી દીધી હતી. આ બ્લાસ્ટમાં 40 સૈનિકો શહીદ થઈ ગઈ હતી.