પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના 7 વર્ષ પુરા થયા છે ત્યારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેરાત કરી આજથી અમારા કાર્યકરો ગામડાઓમાં જઈને કાર્ય કરશે.
PM મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની 7 મી વર્ષગાંઠ,
અમિત શાહે કહ્યું ચાલુ રહેશે વિકાસની યાત્રા
ભાજપના કાર્યકરો ગામડાઓ જઈને કાર્ય કરશે
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરીને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી સરકારના સાત વર્ષ પુર્ણ થયા પર પ્રધાનમંત્રી મોદીને હાર્દિક અભિનંદ અને સમસ્ત એનડીએ પરિવારને શુભકામના. તેમણે આગળ લખ્યું કે મોદીના નેતૃત્વમાં અમે આજના દિવસને સેવા દિવસ તરીકે મનાવીશું. અમારા કરોડો કાર્યકરો આજે એક લાખ ગામોમાં જઈને કાર્ય કરશે.
ભાજપ ગામડાઓમાં જઈને સેવા કરશે
એનડીએ સરકારની 7 મી વર્ષગાંઠ પર મોટી જાહેરાત કરતા જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપના કાર્યકરો આજથી ગામડાઓમાં જઈને સેવા શરુ કરશે. નડ્ડાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં દેશવાસીઓએ પડકારોને જોરદાર સામનો કર્યો છે. તેમના માર્ગદર્શનમાં આત્મવિશ્વાસ જાગ્યો. આત્મનિર્ભર ભારતનો માર્ગ ખુલ્લો થયો છે અને દેશના ગામડા, ગરીબ, ખેડૂત, દલિત. પીડિત તથા વંચિતને પહેલી વાર અહેસાસ થયો કે કેન્દ્રમાં તેમની પોતાની સરકાર છે.
વિકાસની અવિરત યાત્રા ચાલુ રહેશે-અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું કે મોદી સરકારે વિકાસ, સુરક્ષા, જનકલ્યાણ અને ઐતિહાસિક સુધારાનું અદ્વિતિય ઉદાહરણ રજૂ કકર્યું છે. આ સાત વર્ષોમાં પીએમ મોદીએ દેશહિતને સર્વોપરી રાખીને પોતાના દ્રઢ સંકલ્પ અને કલ્યાણકારી નીતિઓથી ગરીબ, ખેડૂત અને વંચિત વર્ગને વિકાસની મુખ્યધારા સાથે જોડીને તેમના જીવનને સારુ બનાવ્યું અને મજબૂત નેતૃત્વથી ભારતને એક સશક્ત રાષ્ટ્ર બનાવ્યું.
કેટલાક લોકો સાધક હોય છે અને કેટલાક લોકો બાધક-નડ્ડાનું કોંગ્રેસ પર નિશાન
નડ્ડાએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે કેટલાક લોકો સાધક હહોય છે અને કેટલાક લોકો બાધક હોય છે. સાધકનું કામ સાધના કરવાનું અને અમને ખબર છે કે અડચણ પેદા કરનાર લોકો પણ અમને મળતા રહેશે. પરંતુ આપણે આપણા રસ્તા પરથી ડગવાનું નથી.