અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાનાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ચોથી મેચમાં પીએમ મોદી ટોસનો સિક્કો ઉછાળી શકે છે.
આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ ટેસ્ટ
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં મુકાબલો
પીએમ મોદી-ઓસ્ટ્રેલિયાના પીએમ રહેવાના છે હાજર
પીએમ મોદી ટોસનો સિક્કો ઉછાળે તેવો મીડિયામાં દાવો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે ખૂબ જ ખાસ બની રહેશે, કારણ કે જો ભારત જીતશે તો શ્રેણી પણ કબજે કરી લેવામાં આવશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જવાની પણ તક મળશે. આ સાથે જ જો ઓસ્ટ્રેલિયા જીતશે તો તે સતત ત્રીજી વાર ટ્રોફી કબજે કરી લેશે.
PM Narendra Modi likely to spin the coin tomorrow at the toss of the 4th Test. (Reported by WION).
આવતીકાલની ટેસ્ટમાં પીએમ મોદી ટોસ ઉછાળી શકે
મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે પીએમ મોદી આ મેચમાં ટોસનો સિક્કો ઉછાળી શકે છે. આખરી ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહિત શર્મા કે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ નહિ પણ પીએમ મોદી ટોસ ઉછાળી શકે છે. જો કે હજુ સુધી આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે.
મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડીયનો રેકોર્ડ સારો
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બેનીસ હાલ ભારતના પ્રવાસે છે. તેઓ 8 થી 11 માર્ચ દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. મોટેરામાં રિનોવેટ કરાયેલા સ્ટેડિયમનું નામ પીએમ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવ્યું છે અને તે ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ભારત 2021થી અત્યાર સુધી આ મેદાન પર રમાયેલી બંને ટેસ્ટમાં જીત્યું છે. પ્રથમ બે મેચ જીતીને સતત ચોથી વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફી જાળવી રાખવામાં સફળ રહેલી ભારતીય ટીમને ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે અમદાવાદ ટેસ્ટ ભારત માટે પોતાના દમ પર ટાઇટલ મેચમાં પહોંચવાની છેલ્લી તક હશે.