પ્રધાનમંત્રી નરેન્દ્ગ મોદીએ અંતરિક્ષ અને સેટેલાઇટ કંપનીઓમાં શીર્ષ સંગઠન સ્પેસ એસોસિએશન લોન્ચ કર્યું હતું.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ગ મોદીએ અંતરિક્ષ અને સેટેલાઇટ કંપનીઓમાં શીર્ષ સંગઠન સ્પેસ એસોસિએશન લોન્ચ કર્યું હતું.
ઈન્ડિયન સ્પેસ એસોસિએશનના લોકાર્પણ પ્રસંગે PM મોદીએ કકહ્યું હતું કે,
અવકાશ સુધારાઓ માટેનો આપણો અભિગમ ચાર સ્તંભો પર આધારિત છે-
નવીનીકરણમાં ખાનગી ક્ષેત્રની સ્વતંત્રતા,
સક્ષમ રીતે સરકારની ભૂમિકા,
યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવા
This is the time of exponential innovation, which can only be achieved when Govt doesn't play the role of handler but enabler. Today Govt is sharing its expertise & providing launch pads for private sector. Today, the facility of ISRO is being opened for private sector: PM Modi pic.twitter.com/0QVHA8CUxQ
સાથે તેમણે જણાવ્યું હતું કે અવકાશ ક્ષેત્રને સામાન્ય માણસની પ્રગતિના સાધન તરીકે જોવું જોઈએ. હવે યુવાનોએ આગળ અવવાનની જરૂર છે.
સ્થાપક કંપનીઓ
ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના સ્થાપક સભ્યોમાં લાર્સન એન્ડ ટુબ્રો, નેલ્કો, વનવેબ, ભારતી એરટેલ, મેપમાય ઇન્ડિયા, વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ અને અનંત ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ કન્સોર્ટિયમ જગ્યા સંબંધિત નીતિઓની હિમાયત કરશે અને સરકાર અને સરકારી એજન્સીઓ વચ્ચે તાલમેલ બનવશે
તેમણે કહ્યું હતું કે આ નવીનીકરણનો સમય છે, જે ત્યારે જ પ્રાપ્ત કરી શકાય છે જ્યારે સરકાર હેન્ડલરની ભૂમિકા ભજવતી નથી પરંતુ સામેથી સક્ષમ બનાવે છે. આજે સરકાર પોતાની એક્સપર્ટાઈઝ પણ શેર કરી રહી છે અને ખાનગી ક્ષેત્ર માટે લોન્ચ પેડ્સ પ્રદાન કરી રહી છે. આજે, ખાનગી ક્ષેત્ર માટે ઈસરોની સુવિધા ખોલવામાં આવી રહી છે
પ્રધાન મંત્રી મોદીએ કહ્યું હતું કે ભારતમાં આજે જેટલી નિર્ણાયક સરકાર છે એટલી નિર્ણાયક સરકાર અગાઉ ક્યારેય નહોતી અને સ્પેસ એસોસિએશન તેમ એક મહત્વની કડી છે અને સાથે તેમણે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.