પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે સાંજે 6 વાગ્યે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પધાર્યા હતા. જ્યાં તેમનું સ્વાગત સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું હતું. જે બાદ તેઓ સીધા ગાંધીનગર જવા રવાના થયા હતા. જ્યાં પીએમ મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી ગુજરાત ભરની કોઈ પણ શાળાને કમાન્ડ એન્ડ કંટ્રોલ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામા આવી છે. આ વ્યવસ્થાનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. અને જરુંરી તમામ વિગતો મેળવી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 18, 2022
19 અને 20 એપ્રિલના દિવસભરના PM મોદીના કાર્યક્રમો
19 તારીખે તેઓ સવારે દિયોદરમાં બનાસ ડેરીના નવા સંકુલનનુ ઉદ્ઘાટન કરશે. બાદમાં બપોરે દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં હાજર રહેશે. જ્યાં 22 હજાર કરોડ રૂપિયાના વિવિધ કામોનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ મહાસંમેલનમાં 2 લાખ કરતા વધારે લોકો હાજર રહેશે. ત્યાર બાદ તેઓ જામનગરમાં વિશ્નના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશિનનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં WHOના મહાનિર્દેશક ડૉ.ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ હાજર રહેનાર છે. આ સિવાય મોરેશિયસના PM પ્રવિંદકુમાર જુગનાથ પણ હાજર રહેશે. આપને જણાવી દઈયે કે, આ સેન્ટર માટે ભારત 250 મિલિયન ડોલરનો ખર્ચ કરવા જઈ રહ્યુ છે. 20મી એપ્રિલે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પણ પીએમ મોદી હાજરી આપશે.આ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં આ સમિટ 20 થી 22 એપ્રિલ સુધી ચાલશે.