મહાત્મા ગાંધી જયંતિના અવસર ઉપર એક મીડિયા પ્રોગ્રામમાં હાજરી આપી રહેલા દેશના સ્વાસ્થ્યમંત્રી ડો હર્ષવર્ધને કહ્યું હતું કે "આજનો અવસર વિશેષ છે. જો કોઈ વડાપ્રધાને મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલી આપી હોય તો તે મોદીજીએ આપી છે."
ડો હર્ષવર્ધને કહ્યું કે PM મોદીએ 2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી જે પછી દેશમાં મોટા પાયે પરિવર્તન થયું હતું. આજે દેશમાં ઘણા ગામો અને શહેરો સ્વચ્છ બન્યા છે.
PM મોદી સૌથી હાર્ડવર્કિંગ વડાપ્રધાન: ડો હર્ષવર્ધન
સ્વાસ્થ્યમંત્રીએ દાવો કર્યો હતો કે PM મોદી સૌથી હાર્ડવર્કિંગ વડાપ્રધાન છે. PM મોદીએ સ્વચ્છતા આંદોલનને જન આંદોલન બનાવવાની કોશિશ કરી. સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે કોરોના સંકટ બાદ સરકાર તરફથી નેશનલ કોરોના વોરિયર્સ ડે મનાવવાની મુહિમ ઉપાડશે. સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે દેશ હજુ પણ કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
અત્યારે દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે એક આંદોલન ઉભું કરવાની જરૂર છે: ડો હર્ષવર્ધન
સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે અત્યારે દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે એક આંદોલન ઉભું કરવાની જરૂર છે. દેશમાં કોરોના સંકટ સમયે લાખો કોરોના વોરિયર્સે છેલ્લા 8 મહિનામાં દેશની ખુબ સેવા કરી છે. તેમણે કહ્યું કે દરેક દેશવાસીએ પોતાના સ્તરે આ સંકટમાં મદદ કરી છે.
ડો હર્ષવર્ધને કહ્યું કે કોરોના સંકટમાં પત્રકારોએ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે દેશના અલગ અલગ હિસ્સમાં લોકોને આ બાબતે જાણકારી આપી અને જાગૃકતા ફેલાવી.