નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને લઇને કેન્દ્રીય રમત અને યુવાનોના મામલાને મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે એક ટ્વીટ કર્યું હતું જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજનાના 55 ટકા લાભાર્થીઓ અનમાત કેટેગરીના એસટી અને ઓબીસી વર્ગના છે. જો કે મુદ્રા યોજનાના આંકડાઓ પર વિસ્તારમાં નરજ નાખીએ તો દાવો તદ્દન ઉલટો દેખાઇ આવે છે.
सबका साथ सबका विकास!
Pradhan Mantri Mudra Yojana initiated under PM @NarendraModi Ji has made business loans accessible & affordable for every Indian. Now any one from any social background can fulfil his dream of owning and running a business! #MudraKiBaatPMKeSaathpic.twitter.com/uWQroLTrxB
એક વેબસાઇટના વિસ્તૃત રિપોર્ટ અનુસાર આ સાચુ છે કે મુદ્રા યોજનામાં 55 ટકા લાભાર્થીઓ એસસી એસટી અને ઓબીસીના છે. એક એપ્રિલ 2015થી 31 માર્ચ 2018 સુધી મુદ્રા યોજનાના લાભાર્થીઓ ઓબીસી 32 ટકા એસસી 18 ટકા એસટી 5 ટકા અને સામાન્ય શ્રેણીના 45 ટકા છે. આ હિસાબથી મોદી સરકારનો દાવો 100 ટકા સાચો સાબિત થયો પરંતુ આ આંકડા પૂરેપૂરા સત્યતા નથી દર્શાવતા.
તેમ પણ ભારતમાં ત્રણ પછાત જાતીને ભેગી કરીને જોઇએ તો તેમનુ કુલ સંખ્યામાં ભાગીદારી 78 4 ટકા બને છે. તેવામાં 55 ટકા લાભાર્થી આ વર્ગના પણ છે તો આ મુદ્રા યોજનામાં તેમના ઓછા રજૂઆતનું સબૂત છે જેના પર દૂર રહેવાનું કોઇ કારણ નથી. પરંતુ જો આ જણાવવામાં આવે કે મુદ્રા યોજનામાં લોન હેઠળ વહેંચવામાં આવેલી રકમમાં આ 55 ટકા લાભાર્થીઓના ભાગમાં અંદાજિત 37 ટકા મૂલ્ય આવે છે તો ચિત્ર વધુ ગંભીર બની જાય છે.
મંદ્રા યોજનાના પૂરા આંકડા જોઇએ તો જાણ થઇ છે કે લાભાર્થિઓમાં ભલે જ એસસી એસટી અને ઓબીસીની સંખ્યા વધુ હોય પરંતુ આ યોજના હેઠળ વહેંચવામાં આવેલ લોનનો મોટો હિસ્સો સામાન્ય શ્રેણીના લાભાર્થિઓને જ મળે છે. 55 ટકા જનસંખ્યના ભાગમાં મુદ્રા યોજના હેઠળ 37 ટકા પૈસા આવે છે જ્યારે 45 ટકા સામાન્ય શ્રેણીના લાભાર્થિઓને આ યોજનાના 63 ટકા રૂપિયા વહેંચવામાં આવ્યા છે.