કોરોના વાયરસની મહામારી સામે જંગ લડવા માટે મોદી સરકાર ઍક્શન મોડમાં દેખાઈ રહી છે. 21 દિવસનું લૉકડાઉન, બાદમાં 1.70 લાખ કરોડનું રાહત પેકેજ અને હવે કેબિનેટ મંત્રીઓને રાજ્યની જવાબદારી સોંપવાનું કામ મોદી સરકાર તાબડતોડ કરી રહી છે.
મહામારી કોરોના વાયરસથી લડવા માટે મોદી સરકાર ઍક્શનમાં છે. લૉકડાઉન દરમ્યાન ગરીબ વર્ગના લોકોને આવનારી નાણાંકીય તકલીફો દૂર કરવા માટે પહેલા સરકારે રાહત પેકેજની જાહેરાત કરી. બીજી બાજુ હવે કૅબિનેટ મંત્રીઓને રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્યોમાં કોઈ પ્રકારની તકલીફ ન થાય અને સતત ફીડબેક લેવા માટે તમામ કેબિનેટ મંત્રીઓને રાજ્યના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. આ મંત્રીઓએ દરેક રાજ્યના DM અને અધિકારીઓ સાથે રોજ વાત કરવી પડશે. તેમણે જાણવું પડશે કે સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન્સની પ્રક્રિયા અને પાલનમાં કોઈ તકલીફ તો નથી આવતી ને. તેમને એ પણ જાણવાનું રહેશે કે લોકોને જરૂરી સામાન મેળવવામાં કોઈ તકલીફ ન પડે. મંત્રીઓ એ વાતનો ચિતાર પણ લેશે કે જિલ્લામાં કોરોના વાયરસને લઈને કેટલાં પોઝિટિવ કેસ છે અને કેટલાં ક્વૉરાઇન્ટાઈનમાં છે.
કયા મંત્રીને કયા રાજ્યની જવાબદારી?
કોરોનાને લઈને કેન્દ્રીય મંત્રીઓને રાજ્યના પ્રભારી બનાવાયા