નવી દિલ્હીઃ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રી વચ્ચે યોજાનારી મુલાકાત રદ થઈ છે. મુલાકાત રદ્ થતા પાકિસ્તાન હવે ઉશ્કેરાયુ છે. જેથી હવે પાકિસ્તાન ભારત વિરૂદ્ધ નિવેદનો આપી રહ્યું છે. પાકિસ્તાન વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ સુષ્મા સ્વરાજ સાથેની મુલાકાત રદ થતા આ મુલાકાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે ભારત આંતરિક દબાણને વશ થઈને આ દુર્ભાગ્યપૂર્ણ પગલું ઉઠાવવા મજબૂર થયું છે. ભારતે મુલાકાતને લઈને કહ્યું કે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાનની નિયત અને અસલી ચહેરો કાર્યકાળ શરૂ થતા જ સામે આવ્યો છે.
Disappointed at the arrogant & negative response by India to my call for resumption of the peace dialogue. However all my life I have come across small men occupying big offices who do not have the vision to see the larger picture.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે શુક્રવારે જમ્મૂ-કશ્મીરમાં 3 પોલીસકર્મી અને એક બીએસએફના જવાનની બર્બરતા પૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે એક તરફ આતંકવાદ અને બીજી તરફ વાતચીતનો પ્રસ્તાવ કેવી રીતે શક્ય બની શકે. જેના પગલે આ મુલાકાત રદ કરવામાં આવી છે. એટલું જ નહીં પાકિસ્તાન સામે કડક પગલા લેવા માટે પણ આદેશ આપી દેવાયો છે.