દિલ્હીની ભાગોળે ડેરો જમાવીને બેઠેલા ખેડૂતોના આંદોલનનો આજે 25મો દિવસ છે અને હજુ પણ સરકાર અને ખેડૂત પક્ષ વચ્ચે આંદોલનના નિરાકરણને લઈને કોઈ સહમતિ સાધી શકાઈ નથી, જેથી કરીને ખેડૂતો આ આંદોલનને વધુ તીવ્ર કરવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે.
ખેડૂતોની લોકોને થાળી વગાડવા અપીલ
છેલ્લા 25 દિવસથી આંદોલન પર બેઠા છે ખેડૂતો
પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ દરમિયાન લોકોને થાળી વગાડવા કરી અપીલ
મળતી માહિતી પ્રમાણે આગામી 27 ડિસેમ્બરે પીએમ મોદી તેમની મન કી બાત નામના કાર્યક્રમ દ્વારા જનતા સાથે વાર્તાલાપ કરવાના છે આ સમયે વિરોધનો એક નવતર પ્રયોગ કરવાનો ખેડૂત આંદોલનકારીઓએ નિર્ણય લીધો છે, પ્રાપ્ત જાણકારી અનુસાર ખેડૂતો આ દિવસે લોકોને જ્યાં સુધી પીએમ મોદી તેમનું સંબોધન કરે ત્યાં સુધી તેમના ઘરે રહીને થાળી વગાડવાની અપીલ કરી છે.
We have decided to make the toll plazas in Haryana free from December 25 to December 27: Jagjit Singh Dallewala, Bharatiya Kisan Union https://t.co/oFX4Tdprtr
પીએમ મોદીના ભાષણ દરમિયાન લોકોને અપીલ કે થાળી વગાડે : ખેડૂત નેતા
સમાચાર એજન્સી ANI ના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ભારતીય કિસાન યુનિયનના નેતા જગજીતસિંહ દાલેવાલાએ આ મામલે લોકોને અપીલ કરી છે, તેમણે લોકોને કહ્યું છે કે આ 27મી ડિસેમ્બરે જ્યાં સુધી પીએમ મોદી તેમનું ભાષણ કરે ત્યાં સુધી લોકોને તેમના ઘરે રહીને થાળી વગાડવાની અપીલ કરું છું, નોંધનિય છે કે આ સમયે રાકેશ ટિકેત સહિતના અન્ય ખેડૂત નેતાઓ પણ તેમની સાથે હતા.
આ ઉપરાંત આ આંદોલનકારી ખેડૂત નેતાઓએ હરિયાણાના ટોલ પ્લાજાને 25થી 27 ડિસેમ્બર સુધી ફ્રી કરાવવાનો નિર્ણય પણ લીધો હતો.
શું આ નિર્ણય પીએમ મોદીની નીતિઓનો પ્રતિકાત્મક વિરોધ છે ?
નોંધનીય છે કે કોરોનાને રોકવા માટે મોદી સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનમાં પ્રજાનો મનોબળ જાગૃત રાખવા અને કોરોના સામે રાષ્ટ્રીય એકતા દર્શાવવાના પ્રતિક તરીકે પીએમ મોદી દ્વારા વિવિધ કાર્યક્રમો અપાયા હતા.
જેમાં રાત્રે દેશવ્યાપી દીવો પ્રગટાવવાના અને થાળી વગાડવાના કાર્યક્રમો ઉલ્લેખનીય હતા, આ કાર્યક્રમોની સામાન્ય છાપ એવી છે કે તેઓ પીએમ મોદીના કાર્યક્રમ તરીકે લોકોના માનસ પર છાપ ધરાવે છે અને હવે ખેડૂતો આ જ થાળી વગાડવાના સાધનનો પીએમ મોદીના જ ભાષણ દરમિયાન તેમની જ સામે ઉપયોગ કરીને તેમના આંદોલનને નવી ધાર આપવા માંગે છે કે પછી આ પાછળ કોઈ બીજી વ્યૂહરચના છે તે તો આવનારો સમય જ કહેશે.