સામાન્ય રીતે લોકો કેરી, તડબૂચ, નારંગી જેવા ફળો ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો પાઇનેપલ (અનાનસ) પણ સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે?
જી હા, પાઇનેપલ (અનાનસ) સ્વાદિષ્ટ તો હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદારૂપ છે. જાણો ખટમીઠું પાઇનેપલ (અનાનસ) ખાવાથી તમારા સ્વાસ્થ્યને શું લાભ થાય છે...
- પાઇનેપલ (અનાનસ) વિટામિન Cથી ભરપૂર હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સાથે પાઇનેપલ (અનાનસ)માં કેલ્શિયમ અને ફાઇબર હોય છે. આ ફળમાં ફેટનું પ્રમાણમાં ઘણું ઓછુ હોય છે. અનાનસમાં એન્ઝાઇમ્સ પણ હોય છે, જે પાચનક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક છે.
- પાઇનેપલ (અનાનસ)માં સારા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જ્યારે તેમાં કેલેરીનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે, માટે તેને ખાવાથી અથવા તો તેના જ્યૂસનું સેવન કરવાથી દરેક પ્રકારના પોષક તત્વો શરીરને મળી જાય છે અને શરીરમાં વધારાની કેલેરી બનતી નથી.
- પાઇનેપલ (અનાનસ)માં વિટામિન C, A અને સેલેનિયમ હોય છે. જે તત્વ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શરીરને અલગ અલગ પ્રકારના રોગના વાયરસ સામે લડવામાં રક્ષણ મળે છે. આજ કારણથી ઇન્ફેક્શનની શક્યતા પણ ઘણી ઓછી થઇ જાય છે.
- પાઇનેપલ (અનાનસ)માં અધિકામાત્રામાં મેગ્નેશિયમ હોય છે. મેગ્નેશિયમ હાડકાને મજબૂત કરવાનું અને શરીને એનર્જી આપવાનું કામ કરે છે. એક કપ પાઇનેપલનો જ્યૂસ પીવાથી દિવસભરનું જરૂરી મેગ્નેશિયમ મળી જાય છે.
- પાઇનેપલ (અનાનસ) પોતાના વિશિષ્ટ ગુણોને કારણે આખો માટે પણ ફાયદારૂપ છે. અનાનસ ખાવાથી ARMD એટલે કે ઉંમર વધવાની સાથે આંખોના ઝાંખા પડતા તેજને 36% સુધી ઓછુ કરી શકાય છે. અનાનસને ડાયેટમાં શામેલ કરવાથી શરીરને જરૂરી તમામ એન્ટીઓક્સિડન્ટ્સ મળી જાય છે.
- પાઇનેપલ (અનાનસ) ત્વચામાં ચમક લાવવા અને નિખરી બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. અનાનસ શરીરમાં કોલેજન સિન્થેસિસમાં વધારો કરે છે. કોલેજનની યોગ્ય માત્રાથી ત્વચામાં લચીલાપણું આવે છે. આ સિવાય તેમાં રહેલા વિટામિન C અને એમીનો એસિડ ડેડ સ્કિન સેલ્સને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય પાઇનેપલ (અનાનસ) ખીલ-ધબ્બાને દૂર કરવાની સાથે સ્કિન હાઇડ્રેડ કરવામાં મદદ કરે છે.