જ્યારે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે દેશના પૂર્વ નાણામંત્રી તથા ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા, ત્યારે કેટલાક ચોરોએ નેતાઓની સાથે અન્ય લોકોના ફોન તથા સામાન ચોરી કરી દીધા.
મળતી જાણકારી અનુસાર, ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો સહિત 11 લોકોના ફોન અરૂણ જેટલીના અંતિમ સંસ્કારના સમયે ચોરી થઇ ગયા, એવામાં આવી સ્થિતિમાં ચોરોએ પોતાનું કામ કરી દીધુ અને ફોન તથા અન્ય સામાન ચોરી લીધો.
પંતજલિના પ્રવક્તાએ આપી જાણકારી:
પંતજલિના પ્રવક્તા એસકે તિજારાવાલાએ જણાવ્યુ કે, અમે બધા અંતિમ સંસ્કારના કાર્યક્રમના કામમાં વ્યસ્ત હતા ત્યારે ભાજપ સાંસદ સહિત 11 લોકોના ફોન-સામાન કોઇ ચોરી કરી દીધા. એસકે તિજારાવાલાએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. આ સાથે જ તિજારાવાલાએ ટ્વીટ કરીને મોબાઈલનો ફોટો, તેની લોકેશન અને IMEI નંબર પણ શેર કર્યો.
તિજારાવાલાએ ટ્વીટમાં મુંબઈ પોલીસને અપીલ કરી કે, મને મારો ફોન પાછો અપાવી દો. હાલ ચોરી કરાયેલા મારા ફોનમાં 3.11 વાગ્યે વોડાફોનનું સીમ નાંખવામાં આવ્યું છે. સ્ક્રીન શોટમાં જોઈ લો.
સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત:
તમને જણાવી દઇએ કે, અરૂણ જેટલીના અંતિમ સંસ્કાર દરમિયાન નિગમબોધ ઘાટ ખાતે ઘણા VVIP નેતાઓ સહિત ઘણા દિગ્ગજ લોકો હતા. એવામાં આવી ચુસ્ત સુરક્ષા હોવા છતાં આ ઘટના બનતા સવાલ થઇ રહ્યા છે.