કેન્દ્રિય પેટ્રોલમંત્રી આજે સુરત પહોંચ્યા હતા. તેઓ આજે સુરતમાં લોકપર્ણ કરવાના હતા. કેન્દ્રિય પેટ્રોલમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે પ્રવાસી શ્રમિકો માટે માઈગ્રેન્ટ સેલનો પ્રારંભ કરાવ્યો હતો.
શું કહ્યું પેટ્રોલિયમમંત્રીએ?
સુરતમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન સામે આવ્યું છે. પેટ્રોલીયમ મંત્રીએ કોંગ્રેસ સામે નિશાન સાધતા કહ્યું હતુ કે, મંદબુદ્ધિ છે કોંગ્રેસ. તેમને દેશના વૈજ્ઞાનિકો પર વિશ્વાસ નથી. ભારતીયોની શક્તિ પર ભરોસો નથી. ક્યારેય મંદબુદ્ધિ સુધરશે નહીં. વેકસીન માટે દેશ કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી કામ કરી રહ્યા છે. લોકોને વેકસીન મળે એ પ્રાથમિકતા છે. વેકસીન મામલે ભગવાન કોંગ્રેસને સદબુદ્ધિ આપે.
કોરોના વેક્સિનને લઇને રાજકારણ શરૂ થયું
કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્માએ માંગ કરી છે કે, જે પ્રકારે વેક્સિનને લઇને જનતાનો ભરોસો જીતવા માટે રશિયા અને અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલી રસી ખુદ લગાવી હતી, તેવી જ રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ કોરોનાની પહેલી રસી લેવી જોઇએ જેથી જનતા વચ્ચે આને લઇને વિશ્વાસ વધે.
અજીત શર્માએ માંગ કરી છે કે, પ્રધાનમંત્રી મોદીની સાથે ભાજપના વરિષ્ઠ નેતા પણ કોરોના રસી સૌથી પહેલા લે જેથી લોકો વચ્ચે વેક્સિનને લઇને વિશ્વાસ પેદા થાય. તેમણે કહ્યું કે, નવા વર્ષમાં 2 વેક્સિન આવી છે, આ ખુશીની વાત છે પરંતુ આને લઇને લોકોમાં શંકા પણ છે. આ શંકાને દૂર કરવા માટે જે રીતે રશિયા અને અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષે પહેલી રહી સગાવીને લોકોનો વિશ્વાસ જીત્યો છે, મારૂં માનવું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના સૌથી વરિષ્ઠ નેતાને પહેલી રસી લગાવીને લોકોનો વિશ્વાસ જીતવો જોઇએ.
2 કોરોના વેક્સિનને ભારત સરકારે મંજૂરી આપી છે. ત્યારે આ વેક્સિન પર રાજકારણ શરૂ થઇ ગયું છે. તેવામાં આ મામલે CM રૂપાણીએ કહ્યું કે, કોવેક્સિન મામલે વિરોધ પક્ષોએ વિરોધ પક્ષનું પણ સ્થાન ગુમાવ્યું છે. મહામારીમાં વેકસીન મુદ્દે રાજકારણ ન કરે.
કોરોના વેક્સિનની મંજૂરી પર CM રૂપાણીનું નિવેદન
આ અગાઉ CMએ કહ્યું હતું કે, DCGIએ 2 વેક્સિનને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ વેક્સિનેશન શરૂ કરીશું. 4 તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. તમામ સર્વે પૂર્ણ, ચાર તબક્કાના લીસ્ટ પણ તૈયાર છે. વેક્સિન આવ્યા બાદ તાત્કાલિક વેક્સિનેશન શરૂ થશે. પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ડોક્ટર અને નર્સને વેક્સિન અપાશે. બીજા તબક્કામાં કોરોનાકાળમાં કામ કરનાર કર્મીઓને વેક્સિન અપાશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને વેક્સિન અપાશે. ચોથા તબક્કામાં ગંભીર બિમારીવાળા 50 વર્ષથી ઓછી ઉમરવાળા વેક્સિન અપાશે.
પહેલી જાન્યુઆરીએ કોવિશિલ્ડ અને બીજી તારીખે બાયોટેકની વેક્સિનને સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેને હવે સર્વોચ્ચ સંસ્થાએ પણ કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે ત્યારે આ સમયે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેનું નિવેદન સામે આવ્યું હતુ.
શું કહ્યું નીતિન પટેલે?
કોરોના વોરિયર્સ અને સિનિયર સિટીઝનને સૌ પ્રથમ વેક્સિન આપવામાં આવશે. ત્રણ તબક્કામાં વેક્સિનેશનની કામગીરી કરાશે. સૌ પ્રથમ આરોગ્યકર્મીઓને વેક્સિન મળશે. બીજા તબક્કામાં સફાઈકર્મીઓ અને પોલીસકર્મીઓને વેક્સિન અપાશે ત્રીજા તબક્કામાં સિનિયર સિટીઝનને વેક્સિન અપાશે. ભારત સરકાર વેક્સિનના ડોઝ ફાળવશે રાજ્ય સરકાર પાસે તમામ પ્રકારના ડેટા તૈયાર છે કોને કયા સ્થળે વેક્સિન આપવી તે પણ નક્કી થઈ ચૂક્યુ છે, વેક્સિનની કિંમત અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.