નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ તરફથી કોરોના વાયરસના સંકટને લઇને સુસ્તીમાં જોવા મળી રહેલી અર્થ વ્યવસ્થાને સંભાળવા માટે કેટલાક મહત્વના પગલાઓનું એલાન કરી શકે છે. નાણા વિધેયક પર ચર્ચાના જવાબ દરમિયાન નાણા મંત્રી તરફથી કેટલીક જાહેરાત કરવામાં આવી શકે છે.
કોરોનાના સંકટ વચ્ચે અર્થવ્યવસ્થામાં જોવા મળી સુસ્તી
પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં કરી શકે છે વધારો
સરકાર જનતા પાસેથી મોટી રકમ વસૂલવાની કરી રહી છે તૈયારી
જો કે એક અનુમાન મુજબ પ્રવાસી ભારતીયો પાસેથી ટેક્સની સીમાને 15 લાખ રૂપિયા સુધી કરવામાં આવી શકે છે, જે બીજે કોઇ જગ્યાએ ટેક્સ આપી ન રહ્યાં હોય. આ સિવય કોરોના વાયરસના સંકટથી ઉભરવા માટે સરકાર જનતા પાસેથી મોટી રકમ વસૂલવાની તૈયારી કરી રહી છે.
એક ખાનગી મીડિયાના એક રિપોર્ટ મુજબ પેટ્રોલ પર 18 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી તરીકે વધારી શકે છે.
ખરેખર તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘટી રહેલી કિંમતોની વચ્ચે સરકારની એક્સાઇઝ ડ્યૂટી વધારી તિજોરી ભરવા માગે છે, જેના કારણે કોરોના વાયરસના સંકટથી ઉભરવા માટે ફંડ એકઠુ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે સરકારે 14 માર્ચના રોજ પેટ્રોલ અને ડિઝલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યૂટીમાં 2 રૂપિયા પ્રતિ લીટરમાં વધારો કર્યો હતો. વૈશ્વિક સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડના લઇને સરકાર પાસે વિકલ્પ છે કે તેઓ ડિઝલ અને પેટ્રોલની કિંમતોમાં ઘટાડો કરી જનતાને રાહત આપે, પરંતુ તેની જગ્યાએ કેન્દ્ર સરકાર પોતાની તિજોરી ભરવાને પ્રાથમિકતા આપી રહી છે.
જેના કારણે જનતા પર વધી રહેલી એક્સાઇઝ ડ્યૂટીથી વધારાનું કોઇ ભારણ નહીં પડે અને સરકાર સરળતાથી કોરોના જેવા સંકટથી ઉગરવા માટે ફંડ એકઠુ કરી લેશે. એક અનુમાન મુજબ પેટ્રોલ અને ડિઝલ પર પ્રતિ લિટર સરકાર જો 1 રૂપિયો પણ એક્સાઇઝ ડ્યટૂ વધારે છે તો વાર્ષિક 13,000 કરોડ રૂપિયા એકઠ્ઠા કરી શકે છે.